________________
૭. લિંગપ્રાભૂત :
ર૩ર હોયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે;
રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨. ગાથા-૨ ધર્મ સહિત તો લિંગ હોય છે પણ લિંગમાત્રથી ધર્મની પ્રાપ્તિ નથી, તેથી હે ભવ્ય જીવ! તું ભાવરૂપ ધર્મને જાણ અને ફક્ત લિંગથી જ તારૂં શું કાર્ય સિધ્ધ થશે ? કાંઈ પણ નહીં. લિંગ એટલે ચિતનું નામ છે. બાહ્ય વેષ ધારણ કરેલ મુનિના ચિહ્નની જેમ જો અંતરંગ વિતરાગ સ્વરૂપ ધર્મ હોય તો તે બાહ્ય ચિહ્ન સત્યાર્થ છે. તાત્પર્ય એ છે કે અંતરંગ રાગદ્વેષ રહિત, આત્માના શુધ્ધ જ્ઞાન દર્શનરૂપ સ્વભાવ ધર્મ, નિર્મળ પરિણામો સહિત લિંગ ધારણ કરવાનો ઉપદેશ છે અને તેથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે. ફક્ત મુનિનો વેષ મૂક્તિ આપતો નથી.
૨૩૩ જે સંગ્રહે, રક્ષે બહુશ્રમપૂર્વ, ધ્યાવે આર્તને,
તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫. બહુશ્રમપૂર્વ=બહુ શ્રમપૂર્વક; ઘણા પ્રયત્નથી. આર્ત-આર્તધ્યાન. ગાથા–પ સાધુ થઈને પણ જે બહુ પ્રયત્ન કરીને પરિગ્રહનો સંગ્રહ કરે છે, તેની વાંછા, ચિંતવન, મમત્વ કરે છે, તેની રક્ષા કરે છે, તેના માટે નિરતર આર્તધ્યાન કરે છે, તે પાપથી મોહિત બુદ્ધિવાળો સાધુ સાધુ નથી, પશુ છે, અજ્ઞાની છે, સાધુપણાને લજવે છે.
૨૩૪ જે ભોજને રસવૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે, માયાવી લિંગવિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨. ગાથા-૧૨ દીક્ષા લઈ સાધુપણું અંગીકાર કર્યા પછી પણ જેને ભોજનમાં સ્વાદ, રસની લોલુપતા અને આસક્તિ છે, ત્યારે તેને ભોજનના રસની સાથે અન્ય
૧૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org