________________
૨ ૩૧ સમ્યકત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર, સત્તપચરણ છે,
ચારેય છે આત્મા મહી; આત્મા શરણ મારું ખરે. ૧૦૫. ગાથા-૧૦૫ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકુચારિત્ર અને અને સમ્યકતપ એ ચાર આરાધનાઓ પણ આમાની જ અવસ્થા છે. તેથી આચાર્ય કહે છે કે મારા માટે તો એક આત્મા જ શરણ છે, કારણ કે ફક્ત આત્માના જ આશ્રયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે. આત્માનું શ્રધ્ધાનરૂપ પરિણામ તે સમ્યગ્દર્શન છે, સંશય, વિમોહ અને વિશ્વમથી રહિત નિજ સ્વરૂપને યથાર્થ જર્ણવું તે સમ્યગજ્ઞાન છે, રાગ દ્વેષ આદિ રહિત પરિણામ થવાં તે સમ્યક્રચારિત્ર છે, અને સ્વરૂપની સાધના કરવી આત્મામાં રમણતા કરવી તે સમ્યક તપ છે, આમ ચારે પરિણામ આત્માનાં છે અને તેથી આચાર્ય કહે છે કે મને ફક્ત આત્મા જ શરણ છે અને આત્મભાવનામાં તે ચારે આરાધનાઓ આવી ગઈ.
૧ પ ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org