SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના?–આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. ગાથા-૯૯ જે બાહ્યકર્મક ક્રિયાકાંડ, ઉપવાસ આદિ બાહ્ય તપ, આતાપના આદિ કાયાકલેશ જે આત્મસ્વભાવથી રહિત અથવા વિપરિત છે તેનો મોક્ષમાર્ગમાં કોઈ અર્થ અથવા પ્રયોજન નથી. બાહ્યક્રિયાકર્મ શરીર આશ્રિત છે અને શરીર જડ છે, આત્મા ચેતન છે. જડની ક્રિયા તો ચેતનને કાઈં ફળ આપતી નથી. બાહ્યક્રિયા કર્મથી તો કાંઈ મોક્ષ થતો નથી. અશુભ અને શુભ ભાવ છોડીને, શુધ્ધ ઉપયોગ થવાથી મોક્ષ થાય છે. તેથી દર્શન જ્ઞાન ઉપયોગના વિકાર ક્ષય કરી શુધ્ધ જ્ઞાન ચેતનારૂપ શુધ્ધ આત્માનો અભ્યાસ કરવો તેજ મોક્ષનો ઉપાય ૨૨૯ પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦). ગાથા–૧૦૦ જે આત્મસ્વભાવથી રહિત, વિપરીત અને વિરૂધ્ધ થઈને અથવા બનીને શાસ્ત્રો વાંચે અને ઘણા પ્રકારેથી ચારિત્રનું આચરણ કરે તો તે બધું બાળ શ્રુત અથવા બાળચારિત્ર સમજવું અને અજ્ઞાનીની ક્રિયા જાણવી. કારણ કે અગિયાર અંગ અને નવપૂર્વ તો અભવ્યજીવ પણ જાણતો હોય અને બાહ્ય મૂળગુણરૂપ ચારિત્ર પણ પાળતો હોય તો પણ તે મોક્ષ પામતો નથી. ૨ ૩૦ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ–પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહી, આત્મા શરણ મારું ખરે. ૧૦૪. ગાથા–૧૦૪ અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠી, ભગવાન આત્માની જ અવસ્થા છે તેથી મારા માટે તો મારો આત્મા શરણ છે. મારા દેહમાં આત્મા છે તે વર્તમાનમાં કર્મના આવરણમાં છે તો પણ તે પાંચ પદોમાં કહેલા પંચ પરમેષ્ઠીના આત્મા જેવો છે, તેથી આત્માના શુધ્ધ સ્વરૂપનું ધ્યાન તે પાંચ પદોનું ધ્યાન જ છે. અંતમાં ફક્ત સ્વયં પોતાના આત્માનું જ શરણ છે, એમ આચાર્ય દેવો ભાવના કરી છે. ૧ પ૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy