________________
ગાથા-૭. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગર બાહ્ય નિગ્રંથરૂપ દ્રવ્યલિંગ અર્થાત્ સાધુપણું સંસારમાં અનંતકાળમાં ઘણીવાર ધારણ કર્યું અને છોડયું તો પણ કાંઇ સિધ્ધિ ન થઇ. ચારે ગતિમાં જીવ ભ્રમણ જ કરતો રહ્યો.
૧૯૫ જન્મો અનંત વિષે અરે! જનની અનેરી અનેરીનું
સ્તન દૂધ તે પીધું મહાયશ! ઉદધિજળથી અતિ ઘણું. ૧૮. ઉદધિજળ=સમુદ્રનું પાણી ગાથા-૧૮હે જીવ! જન્મ -જન્મમાં અન્ય અન્ય માતાના સ્તનનાં દૂધ એટલાં પીધાં છે કે તેને એકઠું કરવામાં આવે તો સમુદ્રના જળથી પણ અનંતગણું વધી જાય.
૧૯૬ તુજ મરણથી દુ:ખાતે બહુ જનની અનેરી અનેરીનાં
નયનો થકી જુળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯ ગાથા–૧૯. હે મુનિ! તારા મરણના દુ:ખથી પ્રાપ્ત થએલી અન્ય અન્ય જન્મની અન્ય અન્ય માતાઓનાં રુદનનાં આંસુઓ એકત્ર કરે તો સમુદ્રના જળથી પણ અનંતગણું અધિક થઈ જાય. જેનાથી પોતાના સંસારનો અભાવ થાય તેવું ચિંતન કરવું અર્થાત નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરવું સેવવું તે ઉપદેશ છે.
૧૯૭ ત્રણ લોકમાં પરમાણું સરખું સ્થાન કોઈ રહ્યું નથી,
જયાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જમ્યો નથી. ૩૩. ગાથા–૩૩. દ્રવ્યલિંગી સાધુપણું ધારણ કર્યા પછી પણ આ જીવે સર્વ લોકમાં અનંતવાર જન્મ અને મરણ કર્યા અને એવો કોઈ પ્રદેશ બાકી ન રહ્યો કે જયાં જન્મ અથવા મરણ ન કર્યા હોય. આ પ્રમાણે ભાવલિંગ ગ્રહણ કર્યા વગર ફક્ત દ્રલિંગથી મોક્ષની (નજ પરમાત્મદશાની) પ્રાપ્તિ થતી નથી એમ જાણવું.
૧૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org