________________
૧૯૮ પ્રત્યેક અંગુલ છનું જાણો રોગ માનવદેહમા;
તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭ ગાથા-૩૭. આ મનુષ્યનાં શરીરમાં આંગળીના ટેરવા જેટલા ભાગમાં છનું છનું રોગ છે. તો પછી આખા શરીરમાં કેટલા હશે તેની શું વાત કરવી!
૧૯૯ જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને,
તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે! ૪૦ ગાથા૪૦. હે જીવા તું માતાના પેટમાં રહ્યો ત્યાં તે માતાનું ચાવેલું ખાધેલું એઠું અન્ન ખાઈને અને તેની ઉલટી, લોહીથી ખરડાએલા અપકવ મળ ઈત્યાદિ અશુચિ વચ્ચે રહ્યો.
૨૦૦ પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગધ શબ સમ જયાં સવે,
ચિંતવ તું પીપ-વસાદિ- અશુચિભરેલ કાયાકુંભને. ૪૨ પલ–માંસ.
પીપ-વસાદિ–પરૂ, ચરબી વગેરે. ગાથા–૪૨. હે મુનિ! તું દેહરૂપિ ઘટને આ રીતે વિચાર. માંસ, હાડકાં, વીર્ય, લોહી, પિત્ત, આંતરડાં, મેદ, પરૂ, રાધ એ બધી મલિન વસ્તુઓથી પુરો ભરેલો છે. આત્મા તો પવિત્ર છે, શુધ્ધજ્ઞાનમયી છે અને દેહ તો આ પ્રકારે છે, તેથી તેમાં રહેવું અયોગ્ય છે.
૨૦૧
છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે,
તેથી ધરો રે! ભાવને, દ્રવલિંગથી શું સાધ્ય છે ? ૪૮. ગાથા–૪૮. સાધુનું લિંગ અર્થાત ચિહ્ન, લક્ષણ ભાવ લિંગ (પરિણામ) છે, ફક્ત દ્રવ્યલિંગ અર્થાત બાહ્યવેષ અને બાહ્યત્યાગ તે સાધુનું લિંગ નથી, તેથી ભાવલિંગ ધારણ કરવું જોઈએ, દ્રવ્યલિંગથી કોઈ પણ સિધ્ધિ થતી નથી.
૧ ૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org