________________
અષ્ટપ્રાભૂત
૧. દર્શનપ્રાભૂત
દ્દભષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્દભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દ્દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩ ૧. દુષ્ટ સમ્યગ્દર્શનરહિત.
ગાથા
૩. જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, તેને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આ પ્રસિધ્ધ છે કે જેઓ ચારિત્રથી ભ્રષ્ટ છે તેઓ તો ક્રમે કરી સિધ્ધિને મેળવે છે પણ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, તેઓ કદી સિધ્ધિ મેળવી શકતા નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે પણ જેનું શ્રધ્ધાન દઢ રહે અર્થાત જે સમ્યગ્દર્શનથી સ્ખલિત થાય નહીં વહી તે તો અલ્પ કાળમાં જ ફરીથી ચારિત્રને ગ્રહણ કરી લે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે પણ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય છે તેને ફરી ચારિત્રનું ગ્રહણ કરવું કઠણ છે અને તેથી તેને માટે નિર્વાણની પ્રાપ્તિ દુર્લભ થઇ જાય છે. જેમ ઝાડની ડાળીઓ વિગેરે કપાઇ જાય તો તે શીઘ્ર ફરીથી ઊગી જશે અને ફળ લાગશે પણ જો તે મૂળથી ઉખડી જાય તો ડાળીઓ આદિ કયાંથી રહે ? તે જ પ્રમાણે ધર્મનુ મૂળ સમ્યગ્દર્શન જાણવું. તેથી સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થએલ મુનિ અથવા સમ્યગ્દર્શન રહિત સાધુ મૂળથી જ નષ્ટ પામેલ છે. તેથી તેને મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી. તાત્પર્ય એ છે કે ચારિત્રની સરખામણીમાં શ્રધ્ધા (સમ્યગ્દર્શન) નો દોષ મોટો ગણવામાં આવ્યો છે.
-
૧૭૧
સમ્યક્ત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ઠુ આચરે, પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. ૫.
સુષ્ઠુ=સારી રીતે.
ગાથા—૫ જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે, તે અબજો વર્ષ સુધી સારી રીતે ઉગ્ર તપ કરે, તો પણ તેને રત્નત્રય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી.
Jain Educationa International
૧૩૫
For Personal and Private Use Only.
www.jainelibrary.org