________________
ગાથા ૧૫૪ :- અહો! જો કરી શકાય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે. (જુઓ દર્શનપ્રાભૂત ગાથા-૨૨)
૧૬૩
છે જીવ વિધવિધ, કર્મ વિવિધ, લબ્ધિ છે વિવિધ અરે! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬
ગાથા ૧૫૬ :- નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને રસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવાયોગ્ય છે. કોઇથી વાદ વિવાદ કરવો તે આત્માર્થીનું કાર્ય નથી.
૧૬૪
નિધિ પામીને જન કોઇ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭
ગાથા ૧૫૭ :- જેમ કોઈ એક (રિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી તેના ફળને ભોગવે છે. તેમ જ્ઞાની પર જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે.
૧૬૫
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯
ગાથા ૧૫૯ :- વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે. નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને (પોતાને) જાણે છે અને દેખે છે.
૧૬૬
જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને,
તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦
ગાથા ૧૬૦ :- કેવળજ્ઞાનીને જ્ઞાન તેમજ દર્શન યુગપ ્ વર્તે છે. સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે (યુગપદ્‚ એક સાથે) વર્તે છે તેવી રીતે જાણવું.
Jain Educationa International
૧૩૩
For Personal and Private Use Only
www.jainelibrary.org