________________
૧૧૧ સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે,
તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક સંગને. ૨૬૮ ગાથા ૨૬૮ :- સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિણતિ) કરેલ છે, (અર્થાત જે જિનસુત્રોના મર્મને જાણે છે), કષાયોને જેણે શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે-એવો જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી, તો તે સયત રહેતો નથી (અર્થાત્ અસંત થઈ જાય છે).
૧૧૨
નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત છે,
લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કમને. ૨૬૯ ગાથા ૨૬૯ :- જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમ તપસંયુક્ત હોય તેને પણ, જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો, “લૌકિક' કહ્યો છે.
૧૧૩ તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના, તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૦ ગાથા ૨૭૦ :- (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે, તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો.
૧૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org