________________
ગાથા ૨૩૮:- જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે.
૧૦૭
અણુમાત્ર પણ મૂછ તણો સભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯ ગાથા ૨૩૯ :- અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂછ વર્તતી હોય, તો તે ભલે સર્વઆગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી.
૧૦૮ નિંદા-પ્રશંસા, દુ:ખ-સુખ, અરિ-બંધુમાં જયાં સામ્ય છે, વળી લોષ્ટ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧ ગાથા ૨૪૧ :- શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે. લોષ્ટ (માટીનું ઢેફ) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે. તાત્પર્ય એ છે કે અનુકુળ-પ્રતિકૂળ બધા પ્રસંગોમાં સમતાભાવ રાખવો તે સાધુપણું છે.
૧૦૯ અશુભોપયોગરહિત શ્રમણો શુદ્ધ વા શુભયુક્ત જે
તે લોકને તારે; અને તભક્ત પામે પુણ્યને. ૨ ૬૦ ગાથા ૨૬૦ :- જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) લોકને તારે છે; (અને) તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (પુણ્યને) પામે છે.
૧૧૦ ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભ્યત્થાનને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહી ઉપદિષ્ટ છે. ૨૬૨. ગાથા ૨૬ર : - ગણાધિક (ગણે અધિક શ્રમણો) પ્રત્યે અભ્યસ્થાન ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તમના આસન, શયન વગેરેની ચિંતા), સત્કાર ગુણપ્રશંસા), અંજાલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહી કહ્યું છે.
११८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org