________________
૯૮
હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧ ગાથા ૧૯૧ :- “પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું” એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે.
જે મોહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને,
આત્મસ્વભાવે સ્થિર છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬ ગાથા ૧૯૬ :- જે મોહમળનો ક્ષય કરી, વિષયથી વિરક્ત થઈ, મનનો નિરોધ કરી, સ્વભાવમાં સમવસ્થિત છે, તે આત્મા આત્માને ધ્યાનાર છે.
૧૦) જીવા-મરો જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી:
સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ર ૧૭ ગાથા ૨ ૧૭ :- જીવ મરો કે જીવો, અપ્રયત (અસંયમી, અસાવધાન) આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને (સાવધાન, સંયમીને) સમિતિવતને શુધ્ધાત્મ સ્વરૂપમાં લીન મુનિને (બહિરંગ) હિંસામાત્રથી બંધ નથી. (જુઓ સમયસાર ગાથા ૨ ૬ ૨.) શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિત્વોચિત) સમ્યક “ઈતિ' અર્થાત્ પરિણતિ તે નિશ્ચય સમિતિ છે. અને તે દિશામાં વર્તતી જે (હઠ વગરની) ઈર્યા-ભાષાદિ સંબંધી શુભ પરિણતિ તે વ્યવહાર સમિતિ છે. (શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે, તે શુભ પરિણતિ વ્યવહાર-સમિતિ પણ નથી.)
૧૦૧
દૈહિક ક્રિયા થકી જીવ મરતા બંધ થાય-ન થાય છે.
પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડયો યોગીએ. ર ૧૯ ગાથા ર ૧૯ :- હવે (ઉપધિ વિષે એમ છે કે), કાયચેષ્ઠાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; (પણ) ઉપધિથી-પરિગ્રહથી નક્કી બંધ થાય છે, તેથી શ્રમણોએ (અહંતદેવોએ) સર્વ પરિગ્રહને છોડ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org