________________
z
ગાથા ૧૭૨ :- જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન (આકાર) કહ્યું. નથી એવો જાણ. અલિંગગ્રહણ શબ્દના આચાર્ય અમૃતચંદ્રે વીશ અર્થ કર્યા છે. તે મૂળ પુસ્તકમાંથી વાંચવા યોગ્ય છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૧૯૨, નિયમસાર ગાથા ૪૪, ૪૫, ૪૮).
૯૪
વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે પ્રેદ્વેષ-રાગ-વિમોહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫
ગાથા ૧૭૫ :- જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે, રાગ કરે છે અથવા દ્વેષ કરે છે, તે જીવ તેમના વડે (-મોહ રાગ દ્વેષ વડે) બંધરૂપ છે. (જુઓ સમયસાર ગાથા-૨૮૧).
૯૫
જીવ રક્ત બાંધે કર્મ, રાગ રહિત જીવ મુકાય છે; આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯.
ગાથા ૧૭૯:- રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે; આ, જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી જાણ. નિશ્ચયથી બંધની પ્રક્રિયાનો સાર આટલોજ છે.
૯૬
પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે; છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦ ગાથા ૧૮૦ :- પિરણામથી બંધ છે, (જે) પિરણામ રાગ-દ્વેષ-મોહયુકત છે. (તેમા) મોહ અને દ્વેષ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હોય છે.
૭
નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો;
પણ્ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનનો.
ગાથા ૧૮૪ :- પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે; પરંતુ પુદ્ગલદ્રવ્યમય સર્વ ભાવોનો કર્તા નથી.
૧૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org