________________
૭૫
નહિ માનતો–એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે,
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે ૭૭. ગાથા ૭૭:- એ રીતે પડ્યું અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
૭૬
જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે,
જો નવ તજે મોહદિને તો નવ લહે શુદ્ધાત્મને ૭૯. ગાથા ૭૯:- પાપારંભ છોડીને શુભ ચારિત્રમાં ઉદ્યત હોવા છતાં જો જીવ મોહાદિકને છોડતો નથી, તો તે શુદ્ધ આત્માને પામતો નથી.
જે જાણતો અહંત ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦. ગાથા ૮૦- જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. તાત્પર્ય એ છે કે મોહના નાશનો ઉપાય પોતાના આત્માને જાણવો, ઓળખવો છે. અને પોતાનો આત્મા અરિહંત ભગવાનના સમાન છે, તેથી અરિહંત ભગવાનનું સ્વરૂપે જાણવું તે મોહના નાશનો ઉપાય છે.
૭૮ શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬. ગાથા ૮૬:- જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહાપચય (મોહનો સંચય; ઢગલો) ક્ષય પામે છે, તેથી શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે.
તેથી યદિ જીવ ઈચ્છતો નિર્મોહતા નિજ આત્મને, જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦.
૧ ૧ ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org