________________
ગાથા ૬૫:- સ્પર્શનાદિક ઈદ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ઈષ્ટ વિષયોને પામીને પોતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતો થકો આત્મા સ્વયમેવ સુખરૂપ (ઈદ્રિયસુખરૂપ) થાય છે, દેહ સુખરૂપ થતો નથી. ઈદ્રિયસુખનું પણ વાસ્તિવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઈદ્રિયસુખરૂપ થાય છે. તેમાં દેહ કારણ નથી; કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તન્ન ભિન્ન હોવાને લીધે સુખને અને દેહને નિશ્ચયથી કાર્ય કારણપણું બિલકુલ નથી.
એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહિ સુખ દેહીને, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુખ થાય છે. ૬૬. ગાથા ૬૬:- એકાંતે અર્થાત નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને) સુખ કરતો નથી, પરંતુ વિષયોના વશે સુખ અથવા દુ:ખરૂપ સ્વયં આત્મા થાય છે. શરીર સુખદુ:ખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી. આત્મા પોતેજ ઈષ્ટ અનિષ્ટ વિષયોને વશ થઈ સુખદુ:ખની કલ્પનારૂપે પરિણમે છે.
૭૩ જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી; જયાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭. ગાથા ૬૭- જો પ્રાણીની દ્રષ્ટિ તિમિરનાશક હોય તો દીવાથી કોઈ પ્રયોજન નથી અર્થાત્ દીવો કાંઈ કરતો નથી, તેમ જયાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયો શું કરે છે? સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે, તેમાં વિષયો અકિંચકર છે અર્થાત કાઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે.
૭૪ : પરયુક્ત, બધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે;
જે ઈદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુ:ખ જ ખરે. ૭૬. ગાથા ૭૬:- જે ઈદ્રિયોથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું (પરાધીન), બાધાસહિત (તણાની પ્રગટતાઓથી આકુળ), વિચ્છિન્ન (શાતા અશાતા વેદનીયના ઉદયને આધીન), બંધનું કારણ અને વિષમ (અત્યંત અસ્થિર) છે; માટે તે ઈદ્રિય સુખ દુ:ખ જ છે.
૬૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org