________________
६८ જો શેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે,
તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨. ગાથા ૪૨:- જ્ઞાતા જો શેય પદાર્થરૂપે પરિણમતો હોય તો તેને ક્ષાયિક જ્ઞાન નથી જ. જિનેન્દ્રોએ તેને કર્મને જ અનુભવનાર કહ્યો છે. દરેક પદાર્થરૂપે પરિણતિ દ્વારા મુગતુષ્ણામાં જળસમૂહની કલ્પના કરવાના માનસવાળો તે (આત્મા) દુસહ કર્મભારને જ ભોગવે છે.
૬૯ જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને
યુગપદ ન જાણે જીવ, તો તે કેમ જાણે સર્વને? ૪૯ ગાથા ૪૯- જો અનંત પર્યાયવાળા એક આત્મદ્રવ્યને તથા અનંત દ્રવ્યસમૂહને યુગપ જાણતો નથી તે પુરૂષ સર્વને (અનત દ્રવ્યસમૂહને) કઈ રીતે જાણી શકે? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે. જેને એક આત્માને જાણયો તેણે સર્વ જાણ્યું. જે આત્માને જાણતો નથી તે સર્વેને જાણતો નથી.
૭). તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે,
સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. પર. ગાથા પર: (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે. કેવળીભગવાન જ્ઞાનને જ રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે, અને જ્ઞાનરૂપે જ ઉપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ (જાણવું) જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળીભગવાનને બંધ થતો નથી. કારણ શતિક્રિયા (જાણવાની ક્રિયા) બંધનું કારણ નથી પરંતુ શેય પદાર્થરૂપ પરિણમન અર્થાત શેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી (3ય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે.
૭૧ ઈદ્રિયસમાશ્રિત ઈષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫.
૧૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org