________________
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં વિક્રમની પ્રથમ શતાબ્દીમાં કૌન્ડકુન્દપુર (કર્ણાટક)માં જન્મ થયો હતો. આપના માતા-પિતા કોણ અને તેમણે જન્મ વખતે આપનું શું નામ રાખ્યું હતું? તે તો જાણવા મળતું નથી, પણ તન્દિસંઘમાં દીક્ષિત હોવાથી દીક્ષા સમયે તેમનું ના પદ્મનન્દી રાખવામાં આવ્યું હતું. નંદિસંઘની પટ્ટાવલી પ્રમાણે વિક્રમ સંવત ૪૯માં આપ નદિસંઘમાં આચાર્ય પદ નસીન થયા અને મુનિ પદ્મનંદીથી આચાર્ય પદ્મનંદી થયા. વળી આપ કન્ડકુન્દપુર ના રહેવાસી હોવાથી આપને પણ કન્ડકુન્દપુરના આચાર્યના અર્થમાં કૌન્ડકદાચાર્ય કહેવા લાગ્યા, જે કર્ણપ્રિયતાની દ્રષ્ટિથી કાલાન્તર જતાં કુન્દ કુન્દ્રાચાર્ય થઈ ગયું. જો કે “આચાર્ય તે પદ છે પણ આપના નામની સાથે તે એવી રીતે એકમેક થઈ ગયું છે કે જાણે તે નામનો જ એક ભાગ ન હોય!
આના સંદર્ભમાં ચંદ્રગિરિ પર્વત ઉપરના શિલાલેખમાંનો નીચેનો છંદ ઉલ્લેખનીય છે.
મુનીન્દ્રોમાં શ્રેષ્ઠ પ્રભાવશાળી મહર્ણિક ગૌતમાદિ રત્નોની આચાર્ય પરંપરામાં નન્દિગણમાં ચારિત્રના ધણી, ચારણ ઋધ્ધિધારી “પદ્મનન્દી નામના મુનિરાજ થયા, તેમનું બીજું નામ “આચાર્ય” શબ્દ છે, અંતમાં “કૌન્ડકુન્દ’ હતું અર્થાત ‘કુન્દકુન્દાચાર્ય” હતું.
ઉપરનાં છંદોમાં ત્રણ વસ્તુઓ અત્યંત સ્પષ્ટ છે– ૧) ગૌતમ ગણધરની પછી કોઈ બીજાનો ઉલ્લેખ ન કરતાં કન્ટકન્ડનો જ ઉલ્લેખ છે, જે દિગંબર પરંપરામાં તેમના સ્થાનને સૂચિત કરે છે. ૨) તેમને ચારણ ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. ૩) તેમનું પ્રથમ નામ “પદ્મનન્દી' હતું અને બીજું નામ “કુન્દકુન્દ આચાર્ય હતું. આચાર્ય' શબ્દ નામો જ ભાગ બની ગયો હતો.
ઉપરોક્ત નામો સિવાય આપનાં બીજાં નામો પણ હતાં, જેવાં કે એલાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, ગૃધ્ધપિચ્છાચાર્ય વિગેરે
કુન્દકુન્દ જેવા સમર્થ આચાર્યના ભાગ્યશાળી ગુરૂ કોણ હતા? આ વિષે બોધપાહુડની ૬ ૧ અને ૬ ૨મી ગાથામાં ઉલ્લેખ મળી આવે છે. ૬ ૧મી ગાથામાં આ વાત અત્યંત સ્પષ્ટ છે કે બોધપાહુડના કર્તા આચાર્ય કુન્દ કુન્દ ભદ્રબાહુના શિષ્ય હતા. વળી ૬ ૨મી ગાથામાં કહ્યું છે કે ભદ્રબાહુ અગિયાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાતા પંચમ શ્રુતકેવળી હતા. ત્યાં એમ પણ કહ્યું છે કે તેઓ કુન્દકુન્દના ગમકગુરુ (પરંપરાગુરુ) હતા, સાક્ષાત ગુરુ નહીં
આવો જ ભાવ સમયસારની પ્રથમ ગાથામાં આ પ્રમાણે પ્રગટ કર્યો છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org