________________
ગાથા ૩૧૨, ૩૧૩:- ચેતક અર્થાત્ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેનો—આત્માનો ને પ્રકૃતિનો—બંધ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. કર્મથી રાગ થાય છે અને રાગથી કર્મ બંધાય છે.
૫૪
અજ્ઞાની વેઠે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી,
ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬.
ગાથા ૩૧૬:- અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદે (ભોગવે) છે અને જ્ઞાની તો ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને જાણે છે, વેદતો નથી.
૫૫
જયમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦.
ગાથા ૩૨૦:- જેમ નેત્ર (દૃષ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે.
૫૬
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. ગાથા ૪૧૨:- (હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. ઉપયોગને અન્યત્ર ભટકવા ન દેતા, એક આત્માનું જ ધ્યાન ધર.
Jain Educationa International
૧૦૫
For Personal and Private Use Only
www.jainelibrary.org