________________
પ્રવચનસાર
૫૭ ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે,
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭. ગાથા ૭:- ચારિત્ર ખરેખર ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. સામ્ય તે મોહક્ષોભ રહિત એવા આત્માના પરિણામ (ભાવ) છે. મોહ એટલે દર્શન મોહ અથવા મિથ્યાત્વ અને ક્ષોભ એટલે ચારિત્રમોહ અથવા રાગદ્વેષ થી રહિત આત્માનાં પરિણામને સામ્ય કહે છે. આ સામ્યભાવ જ ધર્મ છે, ચારિત્ર છે. આ પ્રકારનું ચારિત્ર તે ધર્મ છે. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે; સ્વસમયમાં પ્રવૃત્તિ અર્થાત પોતાના સ્વભાવમાં પ્રવર્તવું એવો તેનો અર્થ છે, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે.
૫૮ શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને,
શુદ્ધ પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯. ગાથા ૯:- જીવ, પરિણામ સ્વભાવી હોવાથી, જયારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પોતેજ) થાય છે અને જયારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. આત્મા સર્વથા કૂટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે; તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ હોવા છતાં લાલ કે કાળા ફૂલના સંયોગથી લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ દાન પૂજાદિના શુભ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુભ થાય છે અને મિથ્યાત્વ, વિષય, કષાય આદિ અશુભ ઉપયોગે પરિણમે ત્યારે તે પોતેજ અશુભ થાય છે અને સ્ફટિકમણિની માફક આત્મા સંયોગોથી રહિત અને અલિપ્ત થતાં નિર્મળ ભાસે છે. ત્યારે તે પોતે જ શુદ્ધ થાય છે.(જાઓ પ્રવચનસાર ગાથા-૧૫૬, ૨૪૫ અને સમયસાર ગાથા-૧૪૬).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org