SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૬૦, ૨૬૧- હું જીવોને દુઃખી-સુખી કરું છું આવું જે તારું અધ્યવસાન, (મિથ્યા અભિપ્રાય સહિત પરિણમન) તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. “હું જીવોને મારું છું અને જિવાડું છું” આવું જે તારું અધ્યવસાન, તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. મારો–ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, –આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ર૬ર. ગાથા ૨ ૬ ૨:- જીવોને મારો અથવા ન મારો-કર્મ બંધ તો માત્ર અધ્યવસાનથી (મોહ-રાગ-દ્વેષ) થી જ થાય છે. નિશ્ચયનયે, જીવોના બંધનું સ્વરૂપ સંક્ષેપ માં આ છે. બંધ નો સંબંધ પર જીવોના જીવન મરણથી નથી પણ જીવના સ્વયં મોહ-રાગ-દ્વેષ પરિણામોથી છે. તેથી પરિણામોની સંભાળ રાખવી અધિક આવશ્યક છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૨૧૭-૨૧૯). ૪૭ - બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ–શબ્દો સર્વ આ એકાઈ છે. ર૭૧. ગાથા. ૨૭૧:- બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ-એ બધા એકાર્થ જ છે (-નામ જાદાં છે, અર્થ જુદા નથી). ૪૮ જયમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮. ત્યમ જ્ઞાની” પણ છે શુદ્ધ રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯. ગાથા ૨૭૮, ૨૭૯- જેમ સ્ફટિકમણિ શુદ્ધ હોવાથી રાગાદિરૂપે (રતાશઆદિરૂપે) પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત (-રાતો) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી વડે તે રાગી આદિ કરાય છે. ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy