________________
૪૩ જે માનતો-હું જિવાડું ને પર જીવ જિવાડે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ર૫૦. ગાથા ૨૫૦:- જે જીવ એમ માને છે કે હું પર જીવોને જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે, તે મૂઢ (-મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે). તે જ્ઞાની છે. એક જીવ બીજા જીવનાં જીવન-મરણ અને સુખ દુઃખનો કર્તા-ધર્તા નથી, અજ્ઞાની જીવ વ્યર્થ જ પરનો કર્તા-ધર્તા. બની દુઃખી થાય છે.
૪૪
છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વજ્ઞ કહ્યું, તું આયુ તો દેતો નથી, તે જીવન કયમ તેનું કર્યું? ૨૫ ૧.
છે આયુ-ઉદય જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન કયમ તારું કર્યું? ૨પર.
જે માનતો-ભુજથી દુખીસુખી હું કરું પર જીવને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. રપ૩. ગાથા ૨૫૧, ૨૫૨, ૨૫૩:- જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી તો (હે ભાઈ!) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું?
જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે, પર જીવો તને આયુકર્મ તો દેતા નથી તો (હે ભાઈ!) તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું?
જે એમ માને છે કે મારા પોતાથી હું (પર) જીવોને દુઃખી-સુખી કરું છું તે મૂઢ (-મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. જ્ઞાની જાણે છે કે લૌકિક સુખ અને દુઃખ તો જીવોને પોતાના પુણ્ય પાપના અનુસાર હોય છે, તે તો તેઓના પોતાના કર્મોનું ફળ છે. તેમાં બીજા જીવનું રચંમાત્ર પણ કર્તુત્વ નથી.
કરતો તું અધ્યવસાન–દુખિત-સુખી કરું છું જીવન, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨ ૬૦.
કરતો તું અધ્યવસાન–“મારું જિવાડું છું પર જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨ ૬૧.
૧૦૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org