________________
૩૯
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ જ્ઞાની કહે અરે! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭.
ગાથા ૨૦૭:- પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે?
४०
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનેં ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
ગાથા ૨૦૮:- જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો શાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.
૪૧
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
ગાથા ૨૧૦:- અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુણ્યને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી. (ધર્મનો) શાયક જ છે.
૪૨
જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭ એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે રજનબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદ્દષ્ટિ જે, ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧.
ગાથા ૨૩૭, ૨૪૦, ૨૪૧:- જેવી રીતે-કોઈ પુરુષ (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહુ રજવાળી (ધૂળવાળી) જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, તે પુરૂષને રજનો બંધ (ધૂળનું ચોટવુ) ખરેખર કયા કારણે થાય છે તે નિશ્ચયથી વિચારો, તે પુરુષમાં જે તેલ આદિનો ચીકાશભાવ છે તેનાથી તેને રજનો બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. એવી રીતે—બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વર્તતો મિથ્યાદ્દષ્ટિ (પોતાના) ઉપયોગમાં રાગાદિ ભાવોને કરતો કો કર્મરૂપી રજથી લેપાય છે—બંધાય છે.
૧૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org