________________
૩પ જયમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. ગાથા ૧૯૫:- જેમ વૈદ્ય પુરુષ વિષને ભોગવે અર્થાત્ ખાતો છતો મરણ પામતો નથી. જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવે છે તોપણ બંધાતો નથી.
સેવે છતાં નહિ સેવતો, આણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જયમ નહિ કરે. ૧૯૭ ગાથા ૧૯૭:- કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કોઈ નહિ સેવતો છતાં સેવનારો છે–જેમ કોઈ પુરુષને * પ્રકારની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે તોથણ તે "પ્રાકરણિક નથી. * પ્રકરણ=કાર્ય ૧. પ્રાકરણિક = કાર્ય કરનારો
૩૭ અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જયાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨. ગાથા ૨૦૧, ૨૦૨:- ખરેખર જે જીવને પરમાણુમાત્ર–લેશમાત્ર–પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ આત્માને નથી જાણતો; અને આત્માને નહિ જાણતો થકો તે અનાત્માને (પરને) પણ નથી જાણતો; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે?
૩૮
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬. ગાથા ૨૦૬:- (હે ભવ્ય પ્રાણી !) તું આમાં (આત્મામા) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે.
૧૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org