________________
૨૦ જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. ગાથા ૧૦૫:- જીવ નિમિત્તભૂત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, “જીવે કર્મ કર્યું એમ ઉપચારમાત્રથી કહેવાય છે.
૨૧ યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૂપકર્યું લોકો કહે,
એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. ગાથા ૧૦૬:- યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, “રાજાએ યુદ્ધ કર્યું એમ લોક (વ્યવહારથી) કહે છે તેવી રીતે “જ્ઞાનાવારણાદિ કર્મ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવાય છે.
૨ ૨ ઉપજાવતો, પ્રણમાવતો ગ્રહતો, અને બાંધે કરે.
૫ગલદરવને આતમા–વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ગાથા ૧૦૭:- આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાધે છે, પરિણાવે છે અને ગ્રહણ કરે છે–એ વ્યવારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્માને પરદ્રવ્યની સાથે કોઈ પણ સંબંધ નથી.
૨ ૩ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧ર ૬. ગાથા ૧૨૬:- આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે, જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે.
-
૨૪
અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મન. ૧૨૭. ગાથા ૧૨૭:- અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે તેથી જ્ઞાની કર્મોને કરતો નથી.
૯૬
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org