________________
૧૫
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અાદિના, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. ગાથા ૮૯:- અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા.
૧૬
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
ગાથા ૯૦:- અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, આત્માનો ઉપયોગ—જોકે (શુદ્ઘનયથી) તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તોપણ—ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે (વિકારી) ભાવને પોતે કરે છે તે ભાવનો તે કર્તા થાય છે.
૧૭
જે ભાવે જીવ કરે અરે! જીવ તેહનો કર્તા બને;
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
ગાથા ૯૧:- આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે.
૧૮
પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨.
ગાથા:- જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા થાય છે.
૧૯
જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે,
તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨.
ગાથા ૧૦૨:- આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે.
Jain Educationa International
૯૫
For Personal and Private Use Only.
www.jainelibrary.org