SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. ગાથા ૩૮:- દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે: નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ પણ મારું નથી એ નિશ્ચય છે. હું સમસ્ત પદાર્થોથી ભિન્ન, જ્ઞાન-દર્શન સ્વરૂપી, અરૂપી, એક પરમ શુદ્ધ તત્ત્વ છું. અન્ય પર દ્રવ્યો સાથે મારે કોઈ સંબંધ નથી. ૧૩ પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે તે નવ કરે છે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. ગાથા ૭૫:- જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. પરકતૃત્વનો ભાવ અજ્ઞાન છે, કારણકે આત્માનો ગુણ, સ્વભાવ તે જ્ઞાનભાવ તો માત્ર જ્ઞાતારૂપ જ હોય છે. ૧૪ જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે; એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦. જીવ કર્મ ગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. ગાથા ૮૦, ૮૧, ૮૨:- પુગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદ્ગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy