SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ નોકર્મ-કર્મ હું, માં વળી “કર્મ ને નોકર્મ છે, -એ બુદ્ધિ જયાં લગી જીવની, આજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. ગાથા ૧૯- જયાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવયકર્મ, મોહ-રાગ-દ્વેષાદિ ભાવકર્મ અને શરીર આદિ નોકર્મ માં આત્મબુદ્ધિ રહેશે, અર્થાત “આ હું છું” અને હુ માં (આત્મામા) મારામાં ‘આ કર્મ-નોકર્મ છે' – એવી બુદ્ધિ છે, એવી માન્યતા છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધિ (આજ્ઞાની) છે. તાત્પર્ય એ છે કે શરીરાદિ પરપદાર્થો અને મોહાદિ વિકારી પર્યાયોમાં પોતાપણું તેજ અજ્ઞાન છે. જીવ-દેહ બન્ને એક છે–વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ર૭. ગાથા ૨૭:- વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, પણ નિશ્ચનરનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી, તે બન્ને ભિન્ન ભિન્ન છે. ૧૦ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. ગાથા ૩૨ - જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે. ૧૧ આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. ગાથા ૩૫:- જેમ લોકમાં કોઈ પુરુષ પરવસ્તુને “આ પરવસ્તુ છે' એમ જાણે ત્યારે એવું જાણીને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને “આ પરભાવ છે' એમ જાણીને છોડે છે. ૯૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy