________________
રા
નવી અર્થનીતિનાં પેરામીટર
અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજનું એક તુલનાત્મક અધ્યયન પ્રસ્તુત કર્યું. આપણી સમક્ષ એ પ્રશ્ન નથી કે કયો વિચાર સત્ય છે અને કયો મિથ્યા. એકાન્તવાદીઓ સામે આ પ્રશ્ન હોઈ શકે છે કે અમુક પ્રણાલી મિથ્યા છે, પરંતુ અનેકાન્તમાં સત્યાંશોનો સમાહાર અને સમન્વય હોય છે. અનેકાન્ત અનુસાર કોઈપણ વિચાર એવો નથી, જેમાં સત્યાંશ ન હોય અને કોઈ પણ વિચાર એવો નથી જે સંપૂર્ણ સત્ય હોય. જે પણ વિચાર છે, તે સત્યનો એક અંશ છે અને જે કંઈ આપણી અભિવ્યક્તિ છે, તે સત્યાંશની એક અભિવ્યક્તિ છે. સમગ્ર સત્યને કહેવા માટે ન તો આપણી પાસે શબ્દ છે અને ન વિચારવા માટેનું મસ્તિષ્ક. એટલા માટે સત્યાંશોનું ગ્રહણ, સ્વીકૃતિ અને અભિવ્યક્તિ - આ સત્યની દિશામાં પ્રસ્થાનનો રાજમાર્ગ બને છે.
આ માગણી શા માટે છે?
આજે નવા વિશ્વની વ્યવસ્થાની માગણી છે. નવી સમાજવ્યવસ્થા અને નવી અર્થવ્યવસ્થાની માંગ છે. આ માગણી શા માટે છે ? એટલા માટે છે કે આપણે સત્યાંશને સર્વાંશતઃ સમગ્રપણે સત્ય માનીને વ્યવહાર શરૂ કરી દીધો. આજની જે અર્થવ્યવસ્થા છે, તે મુખ્ય રૂપે માઈક્રોઈકોનોમિક્સ અને મેટ્રો ઈકોનોમિક્સ આ તે બેના આધારે ચાલી રહી છે. માઇક્રો ઈકોનોમિક્સની વ્યવસ્થા ચાલી રહી હતી, પરંતુ કેનિજે જ્યારે મેટ્રો ઈકોનોમિક્સનું પ્રતિપાદન કર્યું, ત્યારે આર્થિક ક્રાન્તિનો
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org