SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી સિદ્ધાન્ત અને વ્યક્તિત્વ, મંત્રદાતા અને મંત્ર, સૂત્રદાતા અને સૂત્ર - આ બંનેનો પરસ્પર ઊંડો સમ્બન્ધ છે. સિદ્ધાંતની ચર્ચા કરીએ તો સિદ્ધાંતના પ્રરૂપકની ચર્ચા કરવાનું અનિવાર્ય છે. સિદ્ધાન્તપ્રરૂપકની ચર્ચા કરીએ તો સિદ્ધાન્તની ચર્ચા કરવી પણ આવશ્યક છે. સિદ્ધાન્તની ચર્ચા કરવી સરળ છે, પરંતુ સિદ્ધાન્તના પ્રતિપાદનની ચર્ચા કરવી કઠિન છે. સિદ્ધાન્તને અધ્યયન દ્વારા જાણી શકાય છે, પરંતુ વ્યક્તિને અધ્યયન દ્વારા જાણી શકાય છે, તેવું સંપૂર્ણપણે કહેવું કઠિન છે. વ્યક્તિ જેટલી દુર્ગમ હોય છે, સિદ્ધાન્ત તેટલો દુર્ગમ અને દુર્બોધ નથી હોતો. આજ સુધી જે લોકોએ વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, તેમનો નિર્ણય કેટલો સાચો રહ્યો છે, તે હું નથી કહી શકતો. મોટી ભૂલ થાય છે વ્યક્તિત્વને ઓળખવામાં. ભાવ જગત એટલું ગૂઢ છે કે વ્યવહારના આધારે આપણે તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી. છતાં મનોવૈજ્ઞાનિકોએ, વ્યવહાર મનોવિજ્ઞાનના અધ્યેતાઓએ વ્યવહાર દ્વારા વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે પણ કેટલો સાર્થક નિવડ્યો છે, તે એક પ્રશ્ન છે. વાસ્તવમાં કઠિન કામ છે સિદ્ધાન્તના આધારે વ્યક્તિની ચર્ચા કરવી. છતાં વ્યવહારની ભૂમિકા પર ચર્ચા કરવી પડે છે. ચાર વ્યક્તિત્વ ચાર વ્યક્તિત્વ આપણી સમક્ષ છે– |ભગવાન મહાવીર - - - - - - - - - - - - - - - - - - - - S \ \ \ \ \ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૬ S Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005313
Book TitleMahavirnu Arthashastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy