SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ફક્ત આસ્થા–બને અપર્યાપ્ત છે; માણસ કેવળ ખોરાકના આધારે જીવન ચલાવી શકતો નથી અને કેવળ આસ્થાના સહારે પણ નહિ. આજની પ્રણાલી તો એવી છે કે ખોરાક આપો તો આસ્થાને ખંડિત કરી દો. આસ્થા આપો તો ખોરાકની સમસ્યા ઊભી રહે છે. એવી પ્રણાલીની આવશ્યકતા છે કે જેમાં ખોરાક પણ હોય અને આસ્થા પણ. આ સમન્વિત પ્રણાલી છે. મહાવીરે જે માર્ગદર્શન આપ્યું; જે અર્થશાસ્ત્રનું દર્શન આપ્યું; તેમાં નથી ખોરાકનો અસ્વીકાર કે નથી આસ્થાનો અસ્વીકાર. બન્નેનો સમન્વય છે, ખોરાક પણ મળે અને આસ્થા પણ મળે. અડધી પ્રકૃતિની ઉપેક્ષા ન કરો: મહાવીરે કહ્યું, મનુષ્યની જે અડધી પ્રકૃતિ છે, તેને સમજવાનો પ્રયત્ન કરો. તે છે ધર્મ અને સમવેગ અથવા મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છા – તેની બિલકુલ ઉપેક્ષા ન કરો. જાણીજોઈને તેની સાથે આંખમીંચોલી ન કરો, ચરિત્રને પણ સ્થાન આપો. જ્યારે ચરિત્રની મીમાંસા કરીએ છીએ અને મુક્ત થવાની વાત સામે હોય છે, ત્યારે એક શબ્દ ફલિત થાય છે “સંયમ”. સુવિધાની સીમા નક્કી કરો, તેને અસીમ ન બનાવો. મકાન અને વસ્ત્ર શરીર માટે આવશ્યક છે, પણ તે સુવિધાને એટલી બધી ન વધારો કે જે પોતાને માટે પણ હાનિકારક બને. સુવિધાની સીમાનું સૂત્રઃ મહાવીરની ભાષામાં સુવિધાની સીમાનો વિવેક એવો છે કે-જે સુવિધા શારીરિક, માનસિક અને ભાવાત્મક સ્વાથ્યને હાનિ ન પહોંચાડે, તે સુવિધા માન્ય છે, પરંતુ જે સુવિધા શારીરિક માનસિક અને ભાવાત્મક સ્વાથ્યને હાનિ પહોંચાડે તે સુવિધા અવાંછનીય છે. ફિજ એક સુવિધા છે, પરંતુ સ્વાથ્ય માટે હાનિકારક છે, પર્યાવરણ માટે પણ હાનિકારક છે. એરકંડીશનર સ્વાથ્ય માટે હાનિકારક છે. વાતાનુકૂલિત મકાન સુવિધાજનક તો છે, પરંતુ સ્વાથ્ય માટે હાનિકારક છે. આ કેટલી મૂર્ખામી છે એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બીમાર થઈ ગયા. ડૉક્ટરની દવાથી તે સ્વસ્થ થયા નહિ. હૉસ્પિટલો અને ડૉક્ટરોથી નિરાશ થઈને તે પ્રાકૃતિક ચિકિત્સકની પાસે ગયા. ચિકિત્સકે એમને પૂછ્યું, તમે શું ખાઓ છો ? ક્યાં રહો છો? તેમણે તમામ હકીકત કહી દીધી. તમામ વાતો ચિકિત્સકના ધ્યાનમાં આવી ગઈ. તેમણે કહ્યું–તમે એક કામ કરો. દરરોજ ત્રણ કલાક સુધી ગરમ પાણીમાં સ્નાન કરો. તેમણે તે રીતે કર્યું. બે ચાર દિવસમાં સ્વાથ્ય સુધરવા લાગ્યું. એક દિવસ તે ગરમ પાણીના ટબમાં બેઠા S મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૬ મહાવીર - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005313
Book TitleMahavirnu Arthashastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy