SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યની પ્રકૃતિનું ત્રીજું તત્ત્વ છે - ઘમ્મલા - મનુષ્યમાં ધર્મની શ્રદ્ધા છે, ચરિત્રની શ્રદ્ધા છે, આસ્થા છે. મનુષ્યની પ્રકૃતિનું ચોથું તત્ત્વ છે— સંવેTM– મનુષ્ય મુક્ત થવા ઇચ્છે છે. મનુષ્યની પ્રકૃતિનાં આ ચાર તત્ત્વો છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભારતીય વિચારધારામાં આ ચાર પુરુષાર્થનો વિરલ સમન્વય છે. આ ચાર પુરુષાર્થ વગર આપણે મનુષ્યની વ્યાખ્યા કરીએ તો તેને સંપૂર્ણપણે સમજી શકાતી નથી. તેને સમગ્ર રીતે સમજવા માટે આ પુરુષાર્થ ચતુષ્ટયીને સમજવી જરૂરી છે. સમન્વિત દૃષ્ટિકોણ ચાણક્ય ભારતીય રાજનીતિ અને અર્થનીતિના પ્રતીક પુરુષ છે. તેમણે અનેક ગ્રંથો લખ્યા છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર તેમનો પ્રસિદ્ધ ગ્રંથ છે. પોતાના બીજા પ્રસિદ્ધ ગ્રંથ ‘ચાણક્ય સૂત્ર’માં તેઓ લખે છે– सुखस्य मूलं धर्मः । धर्मस्य मूलं अर्थः । अर्थस्य मूलं राज्यं, राज्यस्य मूलं इन्द्रिय-जयः । સુખનો મૂલાધાર છે ધર્મ. ધર્મનો મૂલાધાર છે અર્થ. અર્થનું મૂળ છે રાજ્ય અને રાજ્યનું મૂળ છે, ઇન્દ્રિયજય. ઇન્દ્રિય-જય વગર રાજ્ય અને અર્થની કલ્પના ચાણક્ય કરી શકે નહીં. ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તના શિષ્ય હતા અને ચંદ્રગુપ્ત ભગવાન મહાવીરના શિષ્ય. મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્તે નવીન વ્યવસ્થાઓ આપી હતી અને તે વ્યવસ્થાઓના સૂત્રધાર હતા મહામાત્ય ચાણક્ય. ‘ચાણક્ય સૂત્ર'માં તેમણે જે સત્યનું પ્રતિપાદન કર્યું છે, તે સમન્વિત દૃષ્ટિકોણ છે. બે પ્રણાલિઓ.... વર્તમાનમાં બે મુખ્ય પ્રણાલિઓ પ્રચલિત છે– કૅપિટલિઝમ કમ્યુનિઝમ એક પૂંજીવાદી પ્રણાલી છે અને બીજી સામ્યવાદી પ્રણાલી. બન્નેની ફિલૉસૉફી છે, મટિરિયાલિઝમ-ભૌતિકવાદ. પૂંજીવાદનો અભિમત ભૌતિકવાદ છે અને સામ્યવાદનો પણ અભિમત ભૌતિકવાદ છે. બંનેના મતમાં કોઈ તફાવત નથી. મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005313
Book TitleMahavirnu Arthashastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy