________________
બેચેની જરૂરી છે
ચિંતનની કક્ષાએ ચિંતા એક વાત છે. ભીતરમાંથી નીકળેલી ચિંતા બીજી વાત છે. તેનાથી વ્યક્તિ બેચેન બની જાય છે. તેને માટે જે કાંઈ કરણીય હોય છે, તેને કર્યા વગર તે રહી શકતો નથી. સૂતાંજાગતાં, ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં તેને એ જ માત્ર દેખાય છે.
શિષ્ય ગુરુની પાસે જઈને બોલ્યો, ‘ગુરુદેવ ! મને સાધનાનો માર્ગ બતાવો.' ગુરુએ કહ્યું, ‘કાલે આવજે.' બીજા દિવસે શિષ્ય ગયો. ગુરુએ તેને પછીના દિવસે આવવાની આજ્ઞા કરી. એક એક કરતાં સાત દિવસ વીતી ગયા. શિષ્યને સાધનાનો માર્ગ મળ્યો નહીં. તે થોડોક અધીર બન્યો. ગુરુ તેને પોતાની સાથે લઈને તળાવ પાસે ગયા. શિષ્યને પાણીમાં ડૂબાડીને ગુરુએ તેના માથા ઉપર હાથથી જોર કરીને તેને દબાવી રાખ્યો કે જેથી તે તેમાંથી નીકળીને બહાર ન આવી શકે. શિષ્ય તરફડવા લાગ્યો. તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી. તે હવે બે ક્ષણની પણ પ્રતીક્ષા કરી શકે તેમ નહોતું.
તળાવમાંથી બહાર નીકળ્યા પછી ગુરુએ શિષ્યને પૂછ્યું, ‘તળાવના પાણીની અંદર તને કેવો અનુભવ થતો હતો ?' શિષ્ય બોલ્યો, ‘ગુરુદેવ ! એ ક્ષણે મને એટલી બધી રુંધામણ થતી હતી કે બહાર નીકળવાની ભાવના સિવાય બીજો કોઈ વિકલ્પ મારે માટે રહ્યો નહોતો.’ ગુરુએ કહ્યું, “જે દિવસે સાધના માટે તને આટલી બધી બેચેનીનો અનુભવ થશે, એ જ દિવસે તને હું સાધનાનો માર્ગ બાવીશ.'
સ્વસ્થ કોણ હોય છે ?
જે દિવસે માનવીના મનમાં સ્વસ્થ સમાજની સંરચના માટે બેચેની જાગી જશે તે દિવસે સમાજનિર્માણનું સ્વપ્ન અધૂરું નહીં રહે. સમાજિનર્માણનો પાયો વ્યક્તિનિર્માણ છે. જ્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ નહીં બને, ત્યાં સુધી તે સમાજને સ્વસ્થ થવા દેશે નહીં. સ્વસ્થ કોણ હોય છે ? આ સંદર્ભમાં એક પ્રાચીન ખ્યાલ છે
નિત્યં હિતાહારવિહારસેવી, સમીક્ષ્યકારી વિષયેષ્વસક્તઃ।
દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાનું, આપ્તોપસેવી સ ભવત્યરોગઃ ।।
સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ સમાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org