________________
જે વ્યક્તિ હંમેશાં હિતકર ભોજન કરે છે, ભ્રમણ કરે છે, વિચારપૂર્વક કામ કરે છે, ઈદ્રિયના વિષયમાં આસક્ત બનતી નથી, ઉદાર દયની હોય છે. સમભાવમાં રહે છે, સત્યનિષ્ઠ હોય છે, સહિણું રહે છે અને આપ્તપુરુષોના સાંનિધ્યથી લાભાન્વિત થાય છે તે સ્વસ્થ હોય છે.
શારીરિક, માનસિક અને ભાવનાત્મક ત્રણે દષ્ટિએ સ્વસ્થ હોવું એ સ્વસ્થતાની સંપૂર્ણ ઓળખ છે. પ્રત્યેક વ્યક્તિ આ સ્વરૂપમાં સ્વાથ્યલાભ મેળવશે તો સ્વસ્થ સમાજની સંરચના આપોઆપ થવા લાગશે. ગાંધીજીનાં સ્વપ્નોનું ભારત
મહાત્મા ગાંધીએ એક સ્વપ્ન જોયું હતું. સ્વતંત્ર અને સુંદર ભારતનું સ્વપ્ન. તેમણે જોયેલા ભારતના સ્વપ્નમાં કોઈ વ્યક્તિ નશાખોર નહોતી. કોઈના મનમાં છૂત-અછૂતની ભાવના નહોતી. કોઈ નિરપરાધ પ્રાણીને પજવનાર નહોતું. કોઈ કોઈને દગો કરનાર નહોતું. દેશની આઝાદીની સાથોસાથ મેં અણુવ્રતનું અભિયાન શરૂ કર્યું. અણુવ્રતની આચારસંહિતા ગાંધીના સ્વપ્નને આકાર આપનારી આચારસંહિતા છે. કાશ ! ગાંધીજી થોડોક વધુ સમય જીવ્યા હોત ! અમે તેમને મળ્યા હોત. અણુવ્રત વિશે ચર્ચા કરી હોત અને ભારતને નવા સ્વરૂપમાં ઢાળવા માટે સંયુક્ત રૂપે પ્રયાસ કર્યો હોત. અચાનક ગાંધીજીની હત્યા થઈ ગઈ. પાર્થિવ સ્વરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો આત્મા ભારતના કણ કણમાં વસેલો છે. ગાંધીના નામ ઉપર જેમને ગૌરવ છે, જેઓ ગાંધીના સ્વપ્નને સાકાર કરવા ઝંખે છે અને એક સ્વસ્થ સમાજના નિમણિમાં સહયોગી બનવા ઇચ્છે છે. તેમની જવાબદારી બને છે કે તેઓ સૌપ્રથમ પોતાને સ્વસ્થ બનાવે. સૌંદર્યની ઓળખ
સ્વસ્થ અને સુંદર બનવાની આકાંક્ષાથી અનેક લોકો માત્ર શરીર તરફ ધ્યાન આપે છે. તેઓ શરીરને સજાવે છે અને તેની જ ચિકિત્સા કરાવે છે. બાહ્ય સૌદર્ય વ્યર્થ નથી હોતું, પરંતુ એ જ સર્વસ્વ પણ નથી હોતું. ચાણક્ય અને ચંદ્રગુપ્તનો એક પ્રસંગ આ સચ્ચાઈને પ્રગટ કરનારો છે.
સમ્રાટ ચંદ્રગુપ્ત અને મહારાણી પોતાના અંતપુરમાં વિશ્રામ
રાણીe
નવું દર્શન કરાવોસમાજEB૯૮e
mડા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org