________________
કરી રહ્યાં હતાં. મહામાત્ય ચાણક્ય ખાસ કારણે ત્યાં આવ્યા. આવશ્યક વાત પૂરી થયા પછી ચંદ્રગુપ્ત બોલ્યા, “ચાણક્ય ! તમે ભારે બુદ્ધિશાળી છો. તમારી બુદ્ધિ ઉપર મને ગર્વ છે. કાશ ! તમારું શરીર પણ એટલું જ સુંદર અને સુડોળ હોત તો કેવું સારું !' ચાણક્ય કંઈક કહે, તે પહેલાં જ મહારાણીએ કહ્યું, “મહારાજ ! બાહ્ય સૌદર્ય કોઈ વિશેષ વાત નથી. આંતરિક સૌદર્યનું આગવું મહત્ત્વ છે.' ચાણક્યને બોલવાની તક આપ્યા વગર જ ચંદ્રગુપ્ત કહ્યું, “મહારાણી ! એ માટે કોઈ ઉદાહરણ આપો.' આથી ચાણક્ય બોલ્યા, “મહારાજ ! એવાં ઉદાહરણો તો અનેક હોઈ શકે છે. પરંતુ પ્રથમ આપ થોડુંક પાણી તો પી લો.'
ચાણક્ય બે ગ્લાસ પાણી લઈને આવ્યા. એક ગ્લાસમાં સોનાના ઘડામાં ભરેલું પાણી હતું, બીજામાં માટીના ઘડામાં ભરેલું પાણી હતું. સમ્રાટે પહેલો. ગ્લાસ લઈ પાણી ચાખ્યું અને કહ્યું, “આ તે કંઈ પાણી છે ? તેલ જેવા ગરમ પાણીથી તરસ કેવી રીતે છીપાશે ?” ચાણક્ય બોલ્યા, “મહારાજ ! આ તો રત્નજડિત સોનાની સુરાહીનું પાણી છે. બીજા ગ્લાસનું પાણી માટીના ઘડાનું છે. આપ ચાહો તો તેને પણ પી લો.” સમ્રાટે પાણી ચાખ્યું અને આખો ગ્લાસ ખાલી કરી દીધો. જેવું મીઠું એવું જ ઠંડુ હતું એ પાણી. સમ્રાટની તરસ શાંત થઈ. તેમણે મૂક્ત કંઠે પાણીની પ્રશંસા કરી. રાણીએ કહ્યું, “મહારાજ ! માત્ર બાહ્ય સૌંદર્યથી શું થયું ? તરસ તો માટીના ઘડાના પાણી થકી છિપાઈ.” તમારા હાથ ખૂબ સુંદર છે.
બાહ્ય સૌંદર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તેના પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. આંતરિક સૌંદર્યને ઓળખનારી આંખ સૌની પાસે હોતી નથી. આ સંજોગોમાં તેનું મૂલ્યાંકન કરવાનું મુશ્કેલ બની જાય છે. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે કે જ્યારે વ્યક્તિની અંતર્દષ્ટિ ખૂલી જાય છે અને તે આંતરિક સૌંદર્યની ઝલક પામે છે. તે સમયે તેનું ચિંતન અને તેનો વ્યવહાર બદલાઈ જાય છે.
એક કિશોર પોતાની માતાના વાંકાચૂકા હાથ જોઈને બોલ્યો, માતા, તું કેટલી સુંદર છે. તારા હાથ આવા કેવી રીતે થઈ ગયા ? આ તો બહુ જ ખરાબ લાગે છે. તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી લે.” માતાએ હસીને વાત ટાળી દીધી. કિશોરે ચાર-પાંચ વખત આ વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org