________________
કહ્યા કરી. માતા તેને વળતી રહી. એક દિવસ તેણે ખૂબ આગ્રહ
ર્યો ત્યારે માતા બોલી. “બેટા ! તું નાનો હતો. પારણામાં સૂતો હતો. એકાએક ઘરમાં આગ લાગી. તું આગમાં ફસાઈ ગયો. હું દોડીને આવી. આગની જ્વાળાઓમાં હાથ નાખીને તેને પારણામાંથી બહાર કાઢ્યો. મારા હાથ ધઝી ગયા, પરંતુ તું બચી ગયો. મારો પુરુષાર્થ સફળ નીવડ્યો.'
પોતાની માતાના મુખે તેના હાથના વાંકાચૂંકાપણા કે કઢંગાપણાની વાત સાંભળીને કિશોરની આંખો ખૂલી ગઈ. તેણે એક ઊંડી નજરથી માતાના હાથને ફરીથી જોયા. હવે ત્યાં માતાની મમતા દેખાતી હતી. કિશોરના મુખમાંથી અનાયાસ શબ્દો સરી પડ્યા, માતા ! તારા હાથ ખૂબ સુંદર છે. પ્લાસ્ટિકની સર્જરી કરવાનો વારંવાર આગ્રહ કરનાર પુત્રએ ત્યારપછી ક્યારેય એવો આગ્રહ
ર્યો નહીં. કારણ કે તેનો આંતરિક સૌંદર્ય સાથે સાક્ષાત્કાર થઈ ગયો હતો.
સમાજને સ્વસ્થ બનાવવા માટે તેના આંતરિક સૌંદર્યને સજાવવું જરૂરી છે. અણુવ્રતની આચારસંહિતા એક એવી સર્જરી છે કે જે માનવીના જીવનને સુંદર બનાવી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org