SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ XMIBE કરી જ શાણા ભાવોના દર્પણમાં મારી santપોતાનું પ્રતિબિંબ પાટણમાશા કેટલાક લોકો આસ્થાના સ્વરનું ગુંજન કરે છે. નવા યાત્રાપથ ઉપર પ્રસ્થાન કરે છે. અવરોધો દૂર કરીને રસ્તો બનાવે છે, સંઘર્ષો સામે હસતા હસતા ચાલે છે. ધૈર્યપૂર્વક આગળ વધે છે અને મંજિલ સુધી પહોંચી જાય છે. આવા લોકો વિધાયક ભાવોના અશ્વ ઉપર સવારી કરનારા હોય છે. કેટલાક લોકો નિરાશાની સોડ તાણીને સૂતેલા રહે છે. તેઓ અતીતમાં જીવે છે. ભવિષ્યની કલ્પનાઓ કરતા રહે છે. જે કર્યું નથી તેના માટે પસ્તાવો કરતા રહે છે. નવી આકાંક્ષાઓનાં સપ્તરંગી મેઘધનુષ રચે છે. ક્યારેક સમયની ટીકા કરે છે. ક્યારેક પરિસ્થિતિનો દોષ કાઢે છે તો ક્યારેક પોતાના ભાગ્ય ઉપર પડે છે. આવા લોકો નિષેધાત્મક ભાવોના આસન ઉપર બેસીને જિંદગીના દિવસો પૂરા કરે છે. એક માપદંડ છે આત્મનિરીક્ષણનો માનવી એક જ પ્રકારનું જીવન જીવવા માગતો નથી. એકરૂપતા વાસી મીઠાઈની જેમ બેસ્વાદ અને જૂના વસ્ત્રની જેમ કુરૂપ હોય છે. જીવનમાં વિવિધતા હોય તો જીવવાનું સહજ આકર્ષણ ટકી રહે છે. શક્ય છે, આ જ ઉદ્દેશથી વિધાયક અને નિષેધાત્મક ભાવોનું અસ્તિત્વ પેદા કરવામાં આવ્યું હોય. સત્ય એ છે કે આ બંને પ્રકારના ભાવ માનવીમાં જેટલા પ્રભાવશીલ છે તેની અપેક્ષાએ અન્ય પ્રાણીઓમાં અલ્પ પ્રમાણમાં છે. તમામ લોકોમાં પણ તેનું પ્રમાણ એકસરખું હોતું નથી. કઈ વ્યક્તિ તેનાથી કેટલી પ્રભાવિત છે તે જાણવા માટે સૌથી મોટો માપદંડ છે આત્મનિરીક્ષણનો. આ એક સુચિંતિત પ્રક્રિયા છે. તેના દ્વારા વ્યક્તિ મહોરાંની દુનિયામાંથી બહાર નીકળીને આત્મસાક્ષાત્કાર કરી શકે છે. ૩essencealese ભાવોના દર્પણમાં પોતાનું રિલિંબાવવાથી વાદળાણાવાળા પાણી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy