________________
ભાવોનો સ્વયંવર
માનવીનું સમગ્ર વ્યક્તિત્વ ભાવો ઉપર નિર્ભર છે, છતાં પ્રત્યેક વ્યક્તિ એ જાણતી નથી કે તેનામાં ક્યા પ્રકારના ભાવ સક્રિય છે. જેના મનમાં એવી જિજ્ઞાસા જાગી જાય છે તેના માટે સમાધાનનો માર્ગ પણ બંધ નથી હોતો. જેન આગમોમાં અઢાર પ્રકારનાં પાપોનો ઉલ્લેખ મળે છે. હિંસ્ય, અસત્ય, ચોરી, વાસના, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર-પરિવાદ, રતિ-અરતિ, માયામૃષા અને મિથ્યા દર્શનશલ્ય- આ અઢાર પાપ નિષેધાત્મક ભાવ છે. તેમાંના કેટલાક ભાવોનો સંબંધ સમૂહ સાથે છે. કેટલાક ભાવ વૈયક્તિક છે અને કેટલાક ભાવ એવા છે કે જે વ્યક્તિ અને સમૂહ બંને સાથે સંબંધ ધરાવે છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ભાવ વૈયક્તિક અને સામુદાયિક અને બંને પ્રકારના છે. કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પર-પરિવાદ વગેરે ભાવ પર-સાપેક્ષ છે. સમૂહમાં રહેનાર વ્યક્તિ સ્વાર્થ, સુવિધા, પ્રતિષ્ઠા અથવા બદલાની ભાવનાથી પ્રેરિત થઈને આ પ્રકારના ભાવો પેદા કરે છે. કેટલીક વ્યક્તિઓ કારણવગર જ આ નિષેધાત્મક ભાવોના શિકાર બની જાય છે. તેમના વિશે એમ જ માની શકાય કે તેવા લોકો કાં તો આદતથી મજબૂર છે અથવા તો આત્મપ્રતિષ્ઠ ક્રોધ વગેરેની પ્રેરણાથી અભિભૂત છે.
ઉપર જે નિષેધાત્મક ભાવોની ચર્ચા કરવામાં આવી છે તેનાથી વિપરિત ભાવોને વિધાયક ભાવ તરીકે ઓળખી શકાય છે. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, સહિષ્ણુતા, કોમળતા, સરલતા, સંતોષ, મૈત્રી, ગુણગ્રાહકતા વગેરે પ્રશસ્ત ભાવોનો સમાવેશ થાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવોના સ્વયંવરમાં કઈ વ્યક્તિ કોને પસંદ કરે છે તે તેની પોતાની સમજ ઉપર નિર્ભર છે. સમજ કે વિવેકના પ્રકાશમાં પ્રત્યેક ભાવનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. અપેક્ષા એટલી જ છે કે તેની પસંદગી કરતાં પહેલાં વ્યક્તિ પોતાની આંખોનું આવરણ ઉતારીને તેને બરાબર ઓળખી લે. પોતાના ભીતરમાં જોવું
“સપિમ્બએ અપ્પગમખએણ- આત્મા દ્વારા આત્માને જોવાની વાત સીધીસાદી તો નથી, પરંતુ મહત્ત્વપૂર્ણ જરૂર છે. સામાન્ય રીતે માનવીની વૃત્તિ એવી હોય છે કે તે બીજાઓનું અવલોકન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org