________________
આ દેશની ટપાથો ઉપર દિગી વિતાવનારા લોકોને સરકાર સામે કોઈ ફરિયાદ હોતી નથી. જ્યાં સુધી તેમને ત્યાંથી હટાવવામાં આવતા નથી. માલધારીઓ (વણઝારા)ની સમગ્ર જાતિ ક્યાંય ઘર બનાવીને રહેતી નથી. આ જાતિના લોકોનાં જન્મ, મરણ, લગ્ન, ઉત્સવ, વ્યવસાય, વિશ્રામ વગેરે તેમની ગાડીઓની આસપાસ જ થતું રહે છે. તેમને સ્થિર આવાસ આપવાની વાત કોઈ વિચારતું પણ હોય તો તેમના ગળે ઊતરતી નથી. રઝળપાટવાળી જિંદગીમાં જ તેમને સુખનો અનુભવ થાય છે.
વાત ગાડીયાલુહારો, ફકીરો કે ભિખારીઓની નથીમાનસિકતાની છે. જ્યાં સુધી વ્યક્તિની માનસિકતા બદલાતી નથી ત્યાં સુધી સારી સ્થિતિ પણ તેને ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ સમાજના નિમણિની ચિંતા કોણ કરશે અને શા માટે કરશે ? આકર્ષણનાં બે બિંદુ
જે લોકો સમાજમાં પોતાનાં મૂળ દઢ કરીને ઊભા છે તેમની સામે ભરણપોષણની સમસ્યા નથી, જે લોકો પતિ સુખ- સગવડો ભોગવી રહ્યા છે તે લોકો પણ સમાજનિમણની ચિંતાથી મુક્ત છે. તેમની સામે મુખ્યત્વે બે આકર્ષણ છે- કામ અને અર્થ. માનવીની કામનાઓ અને વાસનાઓનું જંગલ એટલું વિશાળ છે કે તેમાં ઘૂસ્યા પછી બહાર નીકળવાનો માર્ગ જ મળતો નથી. તે એક પ્રકારની ભૂલભુલામણી છે. તેમાં પ્રવેશ કરતી વખતે વ્યક્તિ એમ વિચારે છે કે તે અંદર ક્યાંય ખોવાશે નહીં. પરંતુ થોડેક દૂર ગયા પછી તે દિંગૂઢ બની જાય છે. ત્યાંથી નીકળવાનો બીજો રસ્તો શોધવાનું તો વધુ મુશ્કેલ છે, પણ તે પાછો મૂળ પ્રવેશદ્વાર સુધી પણ પહોંચી શકતો નથી.
માનવીની પ્રવૃત્તિના કેન્દ્રમાં બીજું તત્ત્વ છે અર્થ. અર્થ જીવનની આવશ્યકતા છે. પરંતુ તેનો દરજ્જો ચરિત્ર કરતાં ઊંચો હોઈ શકે નહિ. જ્યાં અર્થ ખાતર ચરિત્ર અધમ કક્ષાએ પહોંચે છે ત્યાં વ્યક્તિ પોતાના નિર્માણની વાત પણ ભૂલી જાય છે. અર્થપ્રાપ્તિની લસ્યહીન પ્રતિસ્પધ ચારિત્રના કદને વામણું બનાવીને માનવીને પશુતા તરફ દોરી જાય છે. તેના વિવેક ઉપર પડદા પાથરે છે. આવા સંજોગોમાં સમાજને સ્વસ્થ બનાવવાની ચિંતા કોણ કરશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org