SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ છે શા સ્વસ્થ સમાજa જ ' વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર ગમે તે હોય, સ્વસ્થ હોવું દરેકને માટે આવશ્યક છે. સ્વમિનું તિષ્ઠતીતિ સ્વસ્થ જે પોતે પોતાનામાં રહે છે તે સ્વસ્થ છે. સુશોભનાનિ અસ્થીનિ યસ્ય સઃ સ્વસ્થ જેનાં હાડકાં મજબૂત હોય છે તે સ્વસ્થ છે. અધ્યાત્મશાસ્ત્ર અને શરીરશાસ્ત્રની આ બે વ્યાખ્યાઓનું સમન્વિત સ્વરૂપ સ્વસ્થતાની સંક્ષિપ્ત તેમજ સારગર્ભિત વ્યાખ્યા છે. સ્વસ્થ કોણ હોય ? વ્યક્તિનું સ્વાચ્ય પાયો છે. વ્યક્તિ-વ્યક્તિના યોગ વડે સમાજ બને છે. અહીં સમાજનું સ્વાથ્ય અભિપ્રેત છે. સમાજ હોય અને તે વ્યવસ્થિત ન હોય તો તેની સંરચના થઈ શકતી નથી. સ્વસ્થ સમાજ સંરચનાની કલ્પના જેટલી સુખદ છે તેટલી તે સ્વરૂપે કામમાં આવે તો માનવલોક અત્યંત સુંદર બની શકે છે. સમાજ વ્યવસ્થામાં ઉદ્દભવતી વિકૃતિઓને જોઈને સ્વસ્થતાની વાત આકાશકુસુમવત્ બની રહી છે. આવા સંજોગોમાં આ વિષય ઉપર વિચારવું પણ આશ્ચર્યજનક લાગે છે. કેને ચિંતા છે? સ્વસ્થ સમાજસંરચના- ત્રણ સકારાદિના યોગથી બનેલો આ શબ્દ અથવા વાક્ય શબ્દ સંયોજનાની દષ્ટિએ મનને લોભાવનારો છે. પરંતુ એની ચિંતા કોને છે ? સઘળા લોકો પોતાના જીવનનિવહિમાં વ્યસ્ત-મસ્ત છે. ભારતીય પ્રજાનું ચિંતન એમ પણ અત્યંત સંકીર્ણ છે. તે જે સ્થિતિમાં જીવી રહી છે, તેમાં જ સંતુષ્ટ છે. તેના જીવનનિર્વાહમાં કોઈ અવરોધ આવતો નથી, ત્યાં સુધી દેશની સુવ્યવસ્થા કે દુર્વ્યવસ્થા વિશે કોઈને ચિંતા થતી નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy