________________
અણુવ્રત આંદોલન માનવીય સંકલ્પને જગાડવાનું આંદોલન છે. અમે અણુવ્રતના માધ્યમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને રુણજીવનશૈલીનું ચિત્ર પ્રસ્તુત કર્યું છે. તેની રૂપરેખા આ પ્રમાણ છેઃ સ્વસ્થ જીવનશૈલી
રણજીવનશૈલી ૧. નિરપરાધની હિંસાનો ત્યાગ : સંકલ્પપૂર્વક નિરપરાધની હિંસા ૨. માનવીય એકતામાં વિશ્વાસ, જાતિય ઘૂણામુક્ત માનસ
જાતિય વૃણાથી ગ્રસ્ત માનસ ૩. સાંપ્રદાયિક સદભાવ અથવા સૌહાર્દ સાંપ્રદાયિક કટ્ટરતા અને સંઘર્ષ ૪. વ્યસનમુક્ત જીવન
ઃ માદક દ્રવ્યોથી આકાંત જીવન ૫. વ્યાવસાયિક પ્રામાણિકતા : આર્થિક અપરાધ ૬. સહઅસ્તિત્વની મનોવૃત્તિ ઃ આક્રામક મનોવૃત્તિ ૭. સંગ્રહની મયદાઓ
: અસીમ સંગ્રહની મનોવૃત્તિ ૮. ઉપભોગની મર્યાદા
અસીમ ઉપભોગની મનોવૃત્તિ ૯. પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ઃ પર્યાવરણની ઉપેક્ષા
જીવનશૈલીને સ્વસ્થ બનાવવા માટે મસ્તિષ્કીય પ્રશિક્ષણ આવશ્યક છે. તે પ્રશિક્ષણનું મહત્ત્વપૂર્ણ અંગ છે અનુપ્રેક્ષા. સિદ્ધાંતને માત્ર જાણવાથી પરિવર્તન લાવવાનું મુશ્કેલ છે. અભ્યાસથી પરિવર્તન આવી શકે છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પશુપક્ષીઓને પ્રશિક્ષિત કરી શકાતાં હોય, તો શું માનવીના મસ્તિષ્કને પ્રશિક્ષિત ન કરી શકાય ? કરી શકાય છે, તે એક સત્ય છે. ધ્યાન દ્વારા અલ્ફા કિરણોની વૃદ્ધિ થાય છે, પરિણામે ધ્યાન કરનાર વ્યક્તિને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. માનસિક શાંતિ. સહજ રીતે જીવનશૈલીને સ્વસ્થ બનાવી દે છે. જૂની આદતોને બદલવા તથા નવી આદતનોનું નિમણિ કરવા માટે મસ્તિષ્કને પ્રેરિત કરી શકાય છે. આ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પ્રમાણિત થઈ રહ્યું છે. ભાવના માનવીય મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. સ્નાયુ વિજ્ઞાન સંબંધી સંશોધનો વડે એ તથ્ય પણ સ્વીકૃત બન્યું છે. અનુપ્રેક્ષામાં કાયોત્સર્ગ અને ભાવના દ્વારા મસ્તિષ્કને પ્રભાવિત કરવાની પ્રક્રિયા સમાવિષ્ટ છે. ઉદાહરણ તરીકે સહિષ્ણુતાની અનુપ્રેક્ષાને પ્રસ્તુત કરી શકાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org