________________
જી
૧૪
જીવનશૈલી અને
સ્વાસ્થ્ય
સારી વ્યક્તિ સારો સમાજ- આ પ્રત્યેક દેશ અને પ્રત્યેક સમયને અભીષ્ટ રહ્યું છે. માનવી તે માટે નિરંતર પ્રયત્નશીલ પણ રહ્યો છે, પરતું પ્રકૃતિનો નિયમ છે કે માત્ર સારું કે માત્ર બૂરું ક્યારેય હોતું નથી. માનવીની પ્રકૃતિનો પણ નિયમ છે કે સારા પ્રત્યે સૌને આકર્ષણ અને બૂરાઈ પ્રત્યે સૌને ઘૃણાભાવ નથી હોતો. ભિન્ન ભિન્ન રુચિ અને મતિના લોકો હોય છે. આ નિયમને જાણવા છતાં આપણે સારાના વિકાસ માટે ઉદ્યમશીલ છીએ. આ માનવીય મનન, મનીષા અને પુરુષાર્થનો નિષ્કર્ષ છે.
જીવનશૈલીના સંદર્ભમાં આપણી સ્થાપના એવી છે કે અહિંસા, માનસિક શાંતિ તથા વિશ્વશાંતિ તરફ લઈ જતી જીવનશૈલી સારી છે. હિંસા, માનસિક અશાંતિ તથા વૈશ્વિક અશાંતિ તરફ લઈ જતી જીવનશૈલી સારી નથી.
Jain Educationa International
માનસિક શાંતિ અને વિશ્વશાંતિનું પ્રાણતત્વ સહિષ્ણુતા છે. પર્યાવરણ-પ્રદૂષણ તરફ આજનું વિશ્વમાનસ જેટલું જાગરૂક છે, તેટલું અસહિષ્ણુતાના પ્રદૂષણ પ્રત્યે જાગરૂક નથી. અસહિષ્ણુતાનું પ્રદૂષણ પર્યાવરણના પ્રદૂષણ કરતાં ઓછું ખતરનાક નથી. પર્યાવરણીય પ્રદૂષણ માનવીય અસ્તિત્વ માટે જોખમરૂપ બનશે ત્યારે બનશે, પરંતુ અસહિષ્ણુતાનું પ્રદૂષણ આજે પણ માનવીય અસ્તિત્વ માટે જોખમરૂપ બની રહ્યું છે. જાતિય અને સાંપ્રદાયિક અસહિષ્ણુતા માનવીને જંગલી જાનવર કરતાં પણ વધુ ક્રૂર બનાવી મૂકે છે, જેનું પ્રદર્શન થોડાક વખત પહેલાં સને ૧૯૯૪માં ખાંડા અને બોસ્નિયામાં જોવા મળ્યું. જે અસહિષ્ણુતાનો ઉદ્ભવ અહંકાર, ઘૃણા અને સત્તાલોલુપતાનાં જંગલોમાં થાય છે તે સમસ્યાના સમાધાન માટે માનવીની સંકલ્પશક્તિને ઢંઢોળવાનું આવશ્યક છે.
જીવનશૈલી અને સ્વાસ્થયો
For Personal and Private Use Only
www.jainelibrary.org