SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રિકો નીચે ઊતરી ગયા. જૈન ભાઈને કંઈ ખાવાપીવાની ઇચ્છા નહોતી. તે પોતાની સીટ ઉપર બેસી રહ્યું. તેમના સહયાત્રી યુવક પકોડીઓ લઈને આવ્યા. જેનભાઈએ કહ્યું, “હજી સૂર્યોદય પણ થયો નથી. હું ખાઈશ નહીં.' ત્યાર પછી તે ઠંડુ પીણું લઈને આવ્યો. જેનભાઈએ તે તરફ અરુચિ દાખવી. એક અન્ય સહયાત્રી બોલ્યો, આ ભાઈ આપના માટે આટલું બધું કરે છે તો થોડુંક લઈ લો ને.' ઈચ્છા ન હોવા છતાં તે ના ન પાડી શક્યો. તેણે પીણું લીધું. બસ ચાલી. થોડીક વારમાં જ તેમણે પોતાના હોશ ગુમાવ્યા. બહરોડથી ઉપડેલી બસ જયપુર પહોંચી ગઈ, ત્યાં સુધી તે બેહોશ હતો. તેનો સહયાત્રી યુવક તેની બેગો લઈને ક્યારે, ક્યાં ઊતરી ગયો અને ક્યાં ચાલ્યો ગયો તેની કોઈને ખબર પડી નહીં. અહીં એક જ યુવકનો પ્રસંગ છે. આવા લોકોની મોટી ટોળી હોય છે. તેમનું કામ યોજનાબદ્ધ રીતે થતું હોય છે. સારા, સંભ્રાત પરિવારના સભ્યો અર્થના લોભમાં કેટલા નીચે ઊતરી જાય છે, તેનું આ એક ઉદાહરણ છે. સાચું જ તો કહ્યું છે કે, “અર્થ જ અનર્થનું મૂળ જરૂરી છે નિષ્ઠા અને સંકલ્પ ચેતનાની શુદ્ધ અવસ્થામાં અપરાધ થઈ શકતા નથી. જ્યાં પણ અપરાધ થાય છે ત્યાં ચેતના વિકતિ થઈ ગયેલી હોય છે. પ્રશ્ન ઉદ્દભવી શકે છે કે વિકત ચેતનાને ચેતના જ શા માટે સમજવી ? આપણા માનવા કે ન માનવાથી ચેતનાની વ્યાખ્યા બદલાઈ જવાની નથી. જૈનદર્શન પ્રમાણે જ્ઞાન, દર્શન, અને ઉપયોગ આત્મા છે. તો પ્રમાદ અને કષાય પણ આત્મા છે. આત્માની જેટલી અવસ્થાઓ છે, તે તમામ આત્મા છે. શુદ્ધ ચેતનાની જેમ વિકૃત ચેતના પણ ચેતના છે. ચેતનાને પવિત્ર બનાવવા માટે તેની વિકૃતિઓને દૂર કરવી જરૂરી છે, અપરાધ ચેતનાને બદલવી જરૂરી છે. અપરાધ ચેતનાને બદલવાની માનસિકતાનું નિર્માણ કરવામાં અણુવ્રત આચારસંહિતાનો ઉપયોગ કરી શકાય છે. તેની પ્રત્યેક ધારા વ્યક્તિના ચિંતનને નવી ક્ષિતિજ પ્રદાન કરી શકે છે. તેની સાથે સાહિત્યનો સ્વાધ્યાય એક એવો ઉપાય છે જે ચેતનાના શરીર ઉપર જામેલી વિકૃતિઓને દૂર કરી શકે છે. સાહિત્યનું એક રોચક શags લાલશeaderoseneતીuસની ચેતનાઓમાંથી માતે ડોક્ટર રહીe ટરાણte ટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy