________________
હત્યામાં રોમાંચની શોધ અને તે પણ કિશોરોની ! આજના સભ્યસમાજની સામે એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરી રહી છે. શક્ય છે કે તે કિશોરોએ પરપીડનયુક્ત ફિલ્મો જોઈ હોય. ફિલ્મોમાં હત્યા કરનારાઓની ભીતરમાં જાગેલી ઉત્તેજનાથી ઉત્તેજિત થઈને એક માસૂમ બાળકની જીવનલીલા સમાપ્ત કરી દેવી તે કેટલો જઘન્ય અપરાધ છે ! આ એક દેશની ઘટના છે. સમગ્ર વિશ્વમાં ન જાણે આવી કેટલી ઘટનાઓ ઘટતી હશે !
હત્યાની જેમ બળાત્કાર પણ એક સંગીન અપરાધ છે. નારી-ઉત્પીડનની આ પ્રવૃત્તિ ઘટવાને બદલે વધતી જાય છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયના અપરાધ રેકોર્ડ બ્યુરો દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા બે દશકાઓમાં બળાત્કારના કિસ્સાઓમાં ચારસો ટકા વધારો થયો છે. આવી અપરાધ ચેતનાની વૃદ્ધિમાં સિનેમા તથા દૂરદર્શનનો કેટલો હાથ છે, તે વિશે શોધ કે સર્વે કરનારાઓ બધું જાણે છે. અર્થ પણ એક કાર છે
અપરાધ ચેતનાનું એક દ્વાર અર્થ છે. અર્થ જીવનયાપનનું સાધન છે, તે એક સત્ય છે. તેને સાધન તરીકે જ કામ લેવામાં આવ્યું હોત અને તેની શુચિતાની દષ્ટિએ ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કોઈ સમસ્યા પેદા થઈ ન હોત. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે અર્થને સાધ્યના સિંહાસન ઉપર બેસાડવામાં આવે છે, તેને વિલાસિતા અને મોટાઈનું નિમિત્ત માનવામાં આવે છે. તથા તેની પ્રાપ્તિમાં શુચિતાની વાત ગૌણ બની જાય છે. ચોરીનો ધંધો આ ભૂમિકા ઉપર જ ફાલ્યો ફલ્યો છે. અત્યંત શરીફ અને આત્મીય લાગનારા સફેદ પોશ લોકો કેવો દગો દે છે તેની એક ઘટનાનો ઉલ્લેખ મળે છે.
એક ભારતીય જૈન વિદેશ યાત્રાથી પાછા આવ્યા. દિલ્હીથી તેમને જયપુર જવાનું હતું. બસની ટિકિટ લેવા માટે તેઓ કતારમાં ઊભા હતા. એક અપરિચિત યુવકે તેમને ટિકિટ લાવી આપી. તેમની બેગો બસ ઉપર ચડાવી આપી. એક સહયાત્રી તરીકે તે તેમની પાસે બેસી ગયો. તેણે કહ્યું કે તે પણ જયપુર જઈ રહ્યો છે.
પ્રાતઃકાળે ચાર વાગે બહરોડ બસસ્ટેન્ડ ઉપર બસ થોભી. ઘણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org