________________
સાકાર થઈ ગયું. અખબારમાં મોટા મોટા લોકોના ફોટા જોઈને મને પણ ઈચ્છા થઈ કે મારો પણ ફોટો છપાવવો જોઈએ. મેં પ્રયત્ન કર્યો પરંતુ ફોટો છપાયો નહીં. છેવટે મેં હત્યા કરવાનો નિર્ણય કર્યો. આજે હું જેલમાં કેદી હોવા છતાં ખુશ છું. કારણ કે મારો ફોટો અખબારમાં છપાયો છે. પ્રસિદ્ધ થવાની આકાંક્ષાએ એક વ્યક્તિને હત્યાનો અપરાધી બનાવી દીધો. આ જ રીતે કંઈક મેળવવા અથવા કંઈક બનવાની અદમ્ય લાગણી વ્યક્તિની અપરાધચેતનાને જગાડી શકે
અપરાધનાં મનોવૈજ્ઞાનિક કારણો
અપરાધ ચેતના જાગવાનાં બે કારણો છે- અતીતના સંસ્કાર અને વર્તમાનનું વાતાવરણ. કેટલીક વ્યક્તિ પરિસ્થિતિજનિત મજબૂરી ન હોવા છતાં અપરાધી બની જાય છે. તેમને અપરાધી બનાવવામાં મુખ્ય ફાળો તેમના અર્જિત સંસ્કારોનો હોય છે. કેટલીક વ્યક્તિ વાતાવરણથી પ્રભાવિત થઈને અપરાધ કરે છે. એ વાતાવરણ પરિવારનું હોઈ શકે છે, મિત્રોનું હોઈ શકે છે, સમાજનું હોઈ શકે છે, અને દશ્ય-શ્રાવ્ય ઉપકરણોનું પણ હોઈ શકે છે. વર્તમાન યુગની કિશોર તથા યુવા પેઢીને અપરાધી બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ફિલ્મોની છે. સિનેમા હોલમાં અથવા દૂરદર્શન પર બતાવવામાં આવતી ફિલ્મોમાં હિંસા અને સેક્સનાં એટલાં બધાં દશ્યો હોય છે કે તેમને વારંવાર જોનાર દર્શક તેમ કરવા માટે ઉત્પરિત થઈ જાય છે.
લંડનમાં ભીડથી ભરેલા એક બજારમાં એક મહિલા પોતાના ત્રણ વર્ષના બાળકને લઈને ઘૂમી રહી હતી. એક શો રૂમ આગળ આવીને તે અટકી. તેણે બાળકને બહાર ઊભું રાખ્યું. તે શોપિંગ માટે શોરૂમમાં દાખલ થઈ. પાંચ મિનિટ પછી તે બહાર નીકળી તો ત્યાં બાળક નહોતું. તેણે બૂમો મારવાનું શરૂ કર્યું. પોલીસને માહિતી મળી. તરત બાળકની શોધ કરવામાં આવી. તે બજારથી થોડેક દૂર આવેલા એક સૂમસામ સ્થળેથી મૃત્યુ પામેલા બાળકનું શબ મળ્યું. આસપાસ ઊભેલા તેના બે હત્યારાઓને પણ પકડી લેવામાં આવ્યા. તેમની ઉંમર ૧૦-૧૧ વર્ષની હતી. તેમને બાળકની હત્યાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે અનુભવ કરવા માગતા હતા કે હત્યાનો રોમાંચ કેવો હોય છે.”
* ૬s.:
' '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org