________________
છે. જે દુઃસંબોધ હોય છે. સેંકડો પ્રયત્ન કરવા છતાં સંબોધ પામી શકતો નથી, તે હિંસાની દિશામાં કદમ માંડે છે. જે અવિજ્ઞાયક હોય છે, તત્ત્વને સમજતો નથી, તે હિંસાત્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. ફરી ફરીને વાત તો પાછી એ જ બિંદુ ઉપર જઈ પહોંચે છે કે જે મનુષ્ય આતુર છે, અસ્વસ્થ છે, તે હિંસા કરે છે. તેને હિંસાથી બચાવવા માટે માનસિક દૃષ્ટિથી સ્વસ્થ કરવો આવશ્યક છે. સ્વસ્થ થવાનો એક માત્ર ઉપાય છે અહિંસાનું પ્રશિક્ષણ. પ્રશિક્ષણનો સંબંધ ઉપદેશ સાથે નહિ, આચરણ સાથે છે. હિંસા ન કરો આ ઉપદેશ છે. જે દિવસે માનવીના આચરણમાંથી હિંસા નીકળી જશે એ જ દિવસે પ્રશિક્ષણ સાર્થક બની જશે.
Jain Educationa International
નવું દર્શન નવો સમાજ
For Personal and Private Use Only
www.jainelibrary.org