________________
કક
મા આવશ્યક છે આ અહિંસાનું પ્રશિક્ષણ
કરી
છે
?
માનવી હિંસા કરે છે, તે તેનો સ્વભાવ છે, એવું કેટલાક લોકો માને છે. જીવો જીવસ્ય જીવનમુ - એક જીવનું જીવન બીજા જીવ ઉપર આશ્રિત છે, આ કલ્પનાના અંધારે મૃત્યુના ભયથી વ્યાકુળ માનવી હિંસા માટે પ્રવૃત્ત થાય છે. માનવી હિંસા વગર જીવી નથી શકતો એ વાત એક હદ સુધી સાચી હોઈ શકે છે. પરંતુ હિંસા તેનો સ્વભાવ નથી. હિંસાની જેમ અસત્ય બોલવું, ચોરી, સંગ્રહની મનોવૃત્તિ, ભોગાસક્તિ, વગેરે વૃત્તિઓ પણ માનવીનો સ્વભાવ નથી. તેમને વિભાવ માનવાનું ઉચિત લાગે છે. જે વિભાવ છે તે બીમારી છે અને
જે સ્વભાવ છે તે સ્વાચ્ય છે. મુશ્કેલી એક જ છે કે માનવી સ્વાભાવને વિભાવ અને વિભાવને સ્વભાવ સમજી લે છે. આ કારણે તે પોતાની બીમારી અથવા સ્વાથ્યને પણ સમજી નથી શકતો.
માણસ જ્યારે પણ શારીરિક કક્ષાએ બીમાર પડે છે, ત્યારે ડોક્ટર પાસે જાય છે. બીમારીનું સંપૂર્ણ વર્ણન કરીને તે ઈલાજ કરાવે છે. બીમારીનું સાચું વર્ણન, નિદાન, ઔષધી, ડોક્ટરનો આત્મીય વ્યવહાર અને પથ્ય-પરહેજ (ચરી)ની જાગરૂકતા આ તમામ યોગ મળે છે ત્યારે બીમારી દૂર થઈ શકે છે. જે લોકો બીમારીને બીમારી માનતા નથી, તેનું નિદાન કે ઉપચાર કરાવતા નથી. તથા પથ્ય-પરહેજ તરફ ધ્યાન આપતા નથી, તેઓ સ્વાથ્યની આશા કેવી રીતે રાખી શકે? હિંસા એક બીમારી છે.
હિંસા એક ભાવનાત્મક બીમારી છે. તેનો સંબંધ કર્યો સાથે છે, સંસ્કારો સાથે છે. જે વ્યક્તિને આ બીમારી લાગુ પડે છે, તે અકારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org