________________
જ આક્રમક થઈ ઊઠે છે. ક્યારેક તે મનોરંજનના નામે અનર્થ હિંસાના ક્ષેત્રમાં ઊતરી પડે છે. ક્યારેક તે જીભના સ્વાદમાં આસક્ત બનીને પશુ-પક્ષીઓનો વધ કરે છે. ક્યારેક બદલાની ભાવનાથી પ્રેરાઈને તે કોઈકની હત્યા કરી દે છે. ક્યારેક ક્યારેક તેની ભીતરમાં જાગતા અસુરક્ષના ભાવ પણ તેને હિંસા કરવા માટે વિવશ બનાવે છે.
હિંસાની મનોવૃત્તિનો ઉપચાર ત્યાં સુધી થઈ શકતો નથી, જ્યાં સુધી તેને એક બીમારી તરીકે સમજવામાં ના આવે. જ્યારે બીમારીનું જ્ઞાન જ નહીં હોય તો તેનો ઈલાજ કોણ કરાવશે ? શિક્ષણ, વેપાર, રાજનીતિ વગેરે દરેક ક્ષેત્રમાં વધતી જતી હિંસાને નિયંત્રિત કરવા માટે કોઈ કુશળ ચિકિત્સકની અપેક્ષા છે.
હિંસા વધી રહી છે. કારણ કે તેનું વિધિવત્ પ્રશિક્ષણ મળે છે. હિંસાની જેમ અહિંસાનું પ્રશિક્ષણ મળતું રહે તો હિંસાને રોકી શકાય છે. શું ક્યાંય અહિંસાના પ્રશિક્ષણની વ્યવસ્થા છે ખરી ? કોણ છે અહિંસાના પ્રશિક્ષક ? પ્રશિક્ષણની સાધનસામગ્રી શી હોઈ શકે છે ? આવા પ્રશ્નો ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. હું જે સમજી શક્યો છું તે પ્રમાણે અહિંસાનું પ્રશિક્ષણ પુસ્તકોના માધ્યમથી થઈ શકતું નથી. પુસ્તકો દ્વારા અહિંસા વિષે માહિતી મળી શકે છે, પરંતુ તે જીવનની સાથે જોડાઈ શકતી નથી. જ્યાં સુધી અહિંસા આત્મસાત્ નહીં થાય, ત્યાં સુધી હિંસાની બીમારી મટી શકશે નહીં. પ્રશિક્ષણની સાથે અનુસંધાન અને પ્રયોગ
અહિંસાનું પ્રશિક્ષણ આપણને અભિષ્ટ છે. તેની આગળ અને પાછળ બે તત્ત્વો વધુ જોડવાથી પ્રશિક્ષણની પ્રક્રિયા સવાંગીણ બને છે. તે બે તત્ત્વો છે- અનુસંધાન અને પ્રયોગ. જ્યાં સુધી અહિંસા વિષે નવું અનુસંધાન નહીં થાય, ત્યાં સુધી તેની તેજસ્વિતા સ્થાપિત થઈ શકશે નહીં. વૈજ્ઞાનિક લોકો પદાર્થના નાના નાના કણો વિશે સંશોધન કરીને તેમને મહત્ત્વપૂર્ણ તથા ઉપયોગી પ્રમાણિત કરી દે છે. આજે લોકો અહિંસાને કાયરોનું હથિયાર ગણાવે છે. અહિંસાનિષ્ઠ વ્યક્તિઓની ટીકા કરે છે. કેમ ? કારણ સ્પષ્ટ છે. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં અહિંસાની જે ગુણ-ગરિમા ગાવામાં આવી છે તેને શું કદીય અનુસંધાનનો વિષય બનાવ્યો છે ખરો ? અહિંસા સવભૂયખેમકરી - અહિંસા સઘળાં પ્રાણીઓનું કલ્યાણ કરનારી છે, આ એક તથ્ય પણ અનુસંધાન દ્વારા પ્રમાણિત થઈ જાત તો હિંસાને
રી નવું દર્શન નવોસમાજEl૮: રીટાટર રર૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org