________________
મૂલ્ય-રાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
એક સમય એવો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરતી તો સૌને તેમાં કંઈક નવું લાગતું. કોઈ વ્યક્તિ સામાજિક માનમર્યાદાઓને તોડતી તો તેના તરફ હજારો આંગળીઓ ચિંધાતી. કોઈ વ્યક્તિ અનૈતિક આચરણ કરતી તો તેને હેય દૃષ્ટિથી જોવામાં આવતી. આજે તે દૃષ્ટિ ક્યાં ખોવાઈ ગઈ છે ? આજે અતિક્રમણ તરફ ચિંધાતી આંગળીઓને શું થઈ ગયું છે ? આજે કોઈના અપરાધ પ્રત્યે કેમ આશ્ચર્ય થતું નથી ? પરિસ્થિતિવશ કોઈ વ્યક્તિ ક્યારેક ખોટું આચરણ કરી બેસે તો આંખ ઉઠાવીને ચાલવાનું સાહસ તે ગુમાવી દેતી હતી. આજે હત્યા અને તોડફોડ કરનારાં અસામાજિક તત્ત્વો ગર્વથી છાતી કાઢીને ચાલતાં જોવા મળે છે. ઈઝરાઈલના પ્રધાનમંત્રી પિત્ઝાક રોબીનનો હત્યારો યિગોર આમિર પોતાની સફળતા માટે સંતોષ
પ્રગટ કરે છે. શું આ મૂલ્યહ્રાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નથી ? મર્યાદા, લાજ, સંવેદના અને કરુણા જેવાં માનવીય મૂલ્યોનો દુષ્કાળ
માનવજાતિ ઉપર કાળો કેર વરસાવી રહ્યો છે. જો આ સ્થિતિથી માનવીને બચાવવો હોય તો નવા માનવીને જન્મ આપવો જ પડશે. આ કાર્યમાં અણુવ્રત પૂર્ણ સહયોગી બની શકે તેમ છે.
સમયના બહાને સંજોગો સામે ઝૂકી જનારી વ્યક્તિ ક્યારેય નવું નિર્માણ કરી શકતી નથી. યોગ્ય સમયે યોગ્ય દિશામાં કરવામાં આવેલો પુરુષાર્થ ચોક્કસ ફ્ળદાયી બનશે એવી આસ્થાસહિત નવું પ્રસ્થાન કરીએ. નવા માનવીના જન્મ કે નિર્માણની આ જ પ્રક્રિયા છે. વૈયક્તિક અને સામૂહિક બંને કક્ષાએ એક પ્રબળ પ્રયત્નની અપેક્ષા છે.
Jain Educationa International
નવું દર્શન નવો સમાજની
For Personal and Private Use Only
www.jainelibrary.org