________________
જે સૂતેલો છે તે કળિયુગ છે. આ વાતને એમ પણ કહી શકાય કે સૂઈ રહેનારા માટે પ્રત્યેક યુગ કળિયુગ છે. જે જાગ્રત છે, તે દ્વાપર છે. દ્વાપરની ડેલીએ પગ મૂક્યા પછી કોઈ સૂઈ શકતું નથી. જે ઊઠે છે તે ત્રેતા છે. ઊંઘમાંથી જાગ્યા પછી પણ જે આળસ કરે છે, તે ઘડિયાળનું એલાર્મ સાંભળ્યા પછી પણ પથારીમાં સૂઈ રહેવાનો અભિનય કરતો રહે છે. જે ચાલે છે તે સત્યને પામે છે. જે ચાલે છે તે મંજિલ સુધી પહોંચે છે. ચાલવું એ સત્યુગની નિશાની છે. પ્રમાદ અને નિરાશાથી ગભરાયેલી વ્યક્તિ માટે કોઈ પણ યુગ સારો હોતો નથી.
સમયનું નામ લઈને પરિસ્થિતિઓ સામે ઝૂકી જનાર વ્યક્તિ ક્યારેય નવું નિમણિ કરી શકતી નથી. યોગ્ય સમયે યોગ્ય દિશામાં કરવામાં આવતો પુરુષાર્થ નિશ્ચિત રૂપે ફળદાયી બને છે. તેવી શ્રદ્ધા સાથે નવું પ્રસ્થાન થવું જોઈએ. નવા માનવીના જન્મ કે નિમણની આ પ્રક્રિયા છે. વૈયક્તિક અને સામૂહિક બંને કક્ષાએ એક પ્રબળ પ્રયત્નની અપેક્ષા છે. અપેક્ષા છેસંપૂર્ણ શલ્યકિયાની
નવીનતા માટે એક બીજી કલ્પના પણ કામ કરે છે. તે પ્રમાણે અતિ પ્રાચીન ફરીથી નવું બની જાય છે. વેશભૂષા, આભૂષણ અને કેટલીક પરંપરાઓને આ વાત ઘણે ભાગે લાગુ પડે છે. જ્યાં સુધી માનવીનો પ્રશ્ન છે ત્યાં સુધી મને નથી લાગતું કે તે જૂનો થઈ ગયો હોવાથી નવા માનવીનો જન્મ જરૂરી બન્યો છે. તેના નવીનીકરણનો મુખ્ય હેતુ તેના ચારિત્રમાં પ્રવેશેલો સડો છે. ચરિત્રનો સડો એક એવી બીમારી છે કે જેની કોઈ દવા નથી. તે માટે સંપૂર્ણ શલ્યક્રિયાની અપેક્ષા છે, નહિતર તેનું સંક્રમણ ભાવિ પેઢીઓમાં પણ થતું રહેશે. સડેલા ચારિત્રની બીમારી લઈને કોઈપણ પેઢી નવી સદીમાં પ્રવેશ કરશે તો તે સ્વસ્થ અને શક્તિસંપન્ન બની શકશે નહીં. તેથી નવા માનવીના જન્મની જરૂર છે.
વીસમી સદીની એક મોટી ત્રાસદાયક વાત છે જીવનનાં શાશ્વત મૂલ્યોનો લોપ. તેમને શોધવાં હોય તો ક્યાં શોધીશું ? આવા સંજોગોમાં પ્રાચીન મૂલ્યોની પુનસ્થપનાની પ્રતીક્ષા છોડી દઈને નવાં મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવાનું અનિવાર્ય બન્યું છે. જે દિવસે આ કામ થશે. એ જ દિવસે આ ધરતી ઉપર નવા માનવીનો જન્મ થઈ જશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org