________________
વિકાસ શાસ્ત્રોના આધારે થઈ શકે છે, પરંતુ કોઈપણ સાચો આધ્યાત્મિક માત્ર ત્યાં જ જઈને અટકતો નથી. અપ્પણા સચ્ચમેસેજ્જા - સત્યને જાતે શોધો. ભગવાન મહાવીરનો નિર્દેશ જ સત્યને શોધવાની પ્રેરણા આપે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું નિર્માણ જ આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિમણિ છે. પ્રશિક્ષણની પ્રક્રિયા સમીચીન, વ્યવસ્થિત અને દીર્ઘકાલીન હોય તો તેનાં યોગ્ય પરિણામો અવશ્ય મળી શકે છે. અવળું થઈ જાય તો!
- કેટલીક વ્યક્તિઓ આનુવંશિકતાને વિશેષ મહત્ત્વ આપે છે. તેઓ પ્રશિક્ષણમાં વિશ્વાસ ઓછો રાખે છે. જીન્સ વિષે અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકો પણ સંસ્કારોના સંક્રમણની સંભાવના સ્વીકારીને જ આગળ ચાલે છે. તેમાં ક્યારેક ક્યારેક કશુંક અણધાર્યું પણ પરિણામ આવી શકે છે.
બનડ શો એક સભામાં ગયા. ત્યાં એક સુંદર યુવતી સાથે તેમની મુલાકાત થઈ. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને તે યુવતીએ કહ્યું, “શોહું આપની સાથે લગ્ન કરવા ઇચ્છું છું. મારી અપેક્ષા એવી છે કે હું આપના જેવા વિદ્વાન અને મારા જેવા સુંદર પુત્રને જન્મ આપી શકું.' આ વાત સાંભળીને શોએ હસતાં હસતાં કહ્યું, “તમારી આકાંક્ષા ખૂબ ઊંચી છે. કદાચ એનાથી અવળું થાય તો શું થાય ? તમારી કલ્પનાના પુત્રમાં મારું રૂપ અને તમારી બુદ્ધિ જો આવી જાય તો ?'
બનડ શોનું ચિંતન નવા માનવીના જન્મમાં પણ અપ્રાસંગિક લાગતું નથી. કારણ કે નવો જન્મ લઈને પણ વારસામાં જૂના જીર્ણશીર્ણ સંસ્કારો લઈને આવનાર શું કરશે ? મારા મતે નવા માનવીનો જન્મ એટલે નવા સંસ્કારોનું નિમણિ. મોડેલ તરીકે એક માનવીનું સ્વરૂપ રજૂ કરવામાં આવે તો તેના આધારે લાખના નિમણિની સંભાવના કરી શકાય છે. એક દીવો હજારો દીવા પ્રગટાવી શકે છે, તેમ એક સંસ્કારી માણસ લાખો લોકોનો પ્રેરણાસ્રોત શું ન બની શકે? નવા માનવીનું મોડેલ
નવા માનવીની કલ્પના દ્વારા જ કેટલાક લોકોને રોમાંચનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org