________________
મારા અધીન પુરુષાર્થ છે. તેમાં મેં કોઈ કસર બાકી રાખી નથી. આજે મારું જે વ્યક્તિત્વ બન્યું છે તે મારા પુરુષાર્થનું જ પરિણામ છે.
માનવી ઈચ્છે છે કે તેનું રૂપ નવું બને. નવીનતા સૌને આકર્ષે છે. આજે માનવી જૂનો બની ગયો છે. તેનું રૂપ દરેક રીતે જાણે કે જીર્ણશીર્ણ બની ગયું છે. તેને કાપકૂપ કરીને ઠીક કરવાનું શક્ય લાગતું નથી. આ દષ્ટિએ નવા જન્મની વાત મનને તો સારી લાગે છે પરંતુ જે સંદર્ભમાં મેં નવા માનવીની ચર્ચા કરી છે, તેનો સંબંધ તેનાં રંગરૂપ કે આકારપ્રકાર સાથે નથી. “નવાનો મને અભિપ્રેત અર્થ છેચિંતનની નવીનતા, સર્જનશીલતા, વર્ચસ્વ અને હકારાત્મક દૃષ્ટિકોણ. આ વિશિષ્ટતાઓથી સંપન્ન માનવીને પેદા કરવાનું કદાચ કોઈના હાથમાં નથી, પરંતુ આવા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકાય છે.
મેડિકલ સાયન્સમાં થયેલાં સંશોધનના આધારે એમ કહી શકાય કે જીન્સના પરિવર્તન દ્વારા વાંછિત સંતાન મેળવી શકાય છે. વૈજ્ઞાનિક, એન્જિનીયર, ડોક્ટર, રાજનેતા કે અભિનેતાના જીન્સનો પ્રક્ષેપ કરીને ભાવિ સંતાનનું વ્યક્તિત્વ તે જ રૂપમાં વિકસિત કરવાની શક્યતાનો અસ્વીકાર કરવાનો કોઈ અર્થ નથી. વિજ્ઞાન પ્રત્યે કોઈપણ પ્રકારનો અવિશ્વાસ કે દુરાગ્રહનો કોઈ ભાવ પણ નથી, પરંતુ જ્યાં સુધી તેનું વ્યાવહારિક રૂપ જોવા મળતું નથી, ત્યાં સુધી તેના વિશે વિશેષ વિશ્વાસ થવો યોગ્ય નથી. વ્યક્તિત્વનું નિર્માણ શક્ય છે.
મનોવિજ્ઞાનના મત મુજબ વ્યક્તિત્વનિમણિના બે ઘટક છે- વંશ વારસો અને પ્રશિક્ષણ. જીન્સના આધારે વ્યક્તિત્વનો વિકાસ આનુવંશિક સંસ્કારનું મહત્ત્વ પ્રમાણિત કરે છે. દ્વિતીય ઘટક છે પ્રશિક્ષણ. પ્રશિક્ષણ દ્વારા વ્યક્તિત્વનિમણિનો એક પ્રયત્ન અમે યોગક્ષેમ વર્ષ (ઈ.સ. ૧૯૮૬) માં કર્યો હતો. અમારું લક્ષ્ય હતું. આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિમણ. માત્ર આધ્યાત્મિક અથવા માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે યુગીન સમસ્યાઓનું સમાધાન શોધી શકાતું નથી. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વિત વિચાર જ સમાધાયક બની શકે છે.
અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનું લક્ષ્ય સત્યની શોધનું છે. એકની શોધનું આધારબિંદુ આત્મા છે અને બીજાની શોધનો વિષય પદાર્થ છે. બંનેનું પ્રસ્થાન અજ્ઞાતને જ્ઞાત કરવાની દિશામાં છે. અધ્યાત્મનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org