________________
શકતો નથી. તેના કેટલાક નિર્ણયો જ સંગઠનને છિન્નભિન્ન કરી નાંખે છે તેથી સમૂહની મુખ્ય વ્યક્તિનું ખૂબ યોગ્ય અને સક્ષમ હોવું આવશ્યક છે.
નેતા સક્ષમ હોય છતાં વ્યવસ્થાતંત્રની શિથિલતા હશે તો સંગઠનનો પાયો ડગી જશે. વ્યવસાયના જગતમાં વ્યવસ્થાતંત્રને અપાતા મહત્ત્વનું આ જ એક માત્ર કારણ છે. સમૂહની સુવ્યવસ્થા માટે વ્યવસ્થાના સમગ્ર ઢાંચા ઉપર ધ્યાન આપવું નિતાન્ત અપેક્ષિત છે.
નેતા સક્ષમ હોય, વ્યવસ્થા પણ યોગ્ય હોય, પરંતુ તે સમૂહ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વચ્ચે જો સામંજસ્ય ન હોય તો તે વિભાજનના સંજોગો ઊભા કરે છે. સામંજસ્ય માટે સૌથી પહેલી અપેક્ષા છે- સ્વની સીમાનો વિસ્તાર. સમૂહ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વ્યક્તિવાદી મનોવૃત્તિમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી તે સામૂહિક હિતોને મહત્ત્વ આપી શકશે નહીં. સામંજસ્યનું બીજું સૂત્ર છે સહનશીલતા. જે વ્યક્તિ સહન કરી શકતી નથી તે કોઈપણ પરિસ્થિતિમાં સમાયોજિત થઈ શકતી નથી. સહનશીલતાનો વિકાસ કરવા માટે સંવેગો ઉપર નિયંત્રણનો અભ્યાસ અનિવાર્ય છે. સામંજસ્યની અનુપ્રેક્ષા દ્વારા આ અભ્યાસને પુષ્ટ કરી શકાય છે. જે યુગમાં વિભક્ત પરિવારોની મુખ્ય સત્તા સ્થપાઈ જાય તે યુગમાં સામૂહિક જીવનશૈલી અથવા તો સંયુક્ત પરિવારની વાત અચરજ જેવી લાગવા માંડે છે. પરંતુ તેના વગર પરિવારોનું જેવું ચરિત્ર જોવા મળે છે તે સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે. આ જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું પણ સરળ નથી. આમ છતાં અલ્પકાલિક શિબિરોમાં સામૂહિકતા દ્વારા જે લાભ જોવા મળે છે તે માનવીનું ધ્યાન ખેંચે છે. એવો વિશ્વાસ વ્યક્ત કરી શકાય તેમ
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org